ઉત્તર પ્રદેશમાં લવા જેહાદની વિરુદ્ધ રાજ્ય સરકાર દ્રારા પસાર કરવામાં આવેલ વટહુકમને આનંદીબેન પટેલે મંજૂરી આપી દીધી છે. તે સાથે જ આ વટહુકમને આજથી લાગુ પણ કરી દેવામાં આવ્યો છે. તે સાથે જ આ નવો કાયદો યૂપીમાં લાગુ થઈ ગયો છે.
વટહુકમને મંજૂરી આપી દીધી
જણાવી દઈએ કે, છેલ્લા મંગળવારે એટલે કે, 24 નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશ કેબિનેટે લવા જેહાદ પર વટહુકમને મંજૂરી આપી હતી. ત્યારબાદ તેને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલી દેવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબેન પટેલા આજે આ વટહુકમને મંજૂરી આપી દીધી છે. આ વટહુકમ પ્રમાણે દગાથી ધર્મ બદલવા પર 10 વર્ષ સુધીની સજા થશે. તે સિવાય સહમિતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લા અધિકારીને બે મહીના પહેલા સૂચના આપવાની રહેશે.
લગ્નની ઘટનાઓને રોકી શકાય
જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે, અમે લવ જેહાદ પર નવો કાયદો બનાવીશું. જેથી લાલચ, દબાવ, ધમકી અથવા ફસાવી લગ્નની ઘટનાઓને રોકી શકાય. યૂપી સરકારના વટહુકમ પ્રમાણે જબરદસ્તી અથવા દગાથી ધર્મ પરિવર્તન માટે 15 હજાર રૂપિયાના દંડની સાથે 1-5 વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે. જો SC-ST સમુદાયની નાબાલિગ અને મહિલાઓની સાથે આવુ થાય તો 25 હજાર રૂપિયાના દંડની સાથે 3-10 વર્ષની જેલ પણ થશે.
જબરદસ્તી ધર્મ પરિવર્તનના કેસ સામે આવ્યા હતા
યૂપી સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું છે કે, યૂપી કેબિનેટ ઉત્તર પ્રદેશ વિધિ વરુદ્ધ ધર્મ સમપરિવર્તન પ્રતિષેધ વટહુકમ 2020 લઈને આવી છે. જે ઉત્તર પ્રદેશમાં કાયદા વ્યવસ્થાને સામાન્ય રાખવા માટે અને મહિલાઓને ઈંસાફ અપાવવા માટે જરૂરી છે. 24 નવેમ્બરના તેમણે કહ્યું કે, છેલ્લા દિવસોમાં 100 થી વધારે ઘટનાઓ સામે આવી હતી. જેમાં જબરદસ્તી ધર્મ પરિવર્તનના કેસ સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમાં જાણવા મળ્યુ હતુ કે, છળ-કપટ, જબરદસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે.
અગાઉથી જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવી
વટહુકમમાં ધર્મ પરિવર્તન ઇચ્છતા લોકોએ નિયત બંધારણ પર 2 મહિના અગાઉથી જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવી પડશે. આ કાયદાના ઉલ્લંઘન માટે 6 મહિનાથી 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની રકમ 10 હજારથી ઓછી હોવી જોઈએ નહીં.
READ ALSO
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી, ટિકિટ વાંચ્છુકો માટે બનાવાયા નિયમો
- અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી
- પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી
- ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો