Last Updated on February 28, 2021 by Pravin Makwana
સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાનો સમય રવિવારે 31 માર્ચ સુધી વધારી દીધો છે. સરકાર દ્વારા કરવામાં આવેલો આ બીજો વિસ્તાર છે.
અગાઉ આ સમયમર્યાદા 31 ડિસેમ્બર 2020થી વધારીને 28 ફેબ્રુઆરી 2021 કરી દીધી હતી. નાણામંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ હતું કે, નિશ્ચિત સમયમાં રિટર્ન ભરનારા કરદાતાઓને આવી રહેલા મુશ્કેલીઓને ધ્યાને રાખીને 2019-20 માટે જીએસટી રિટર્ન-9 અને જીએસટી રિટર્ન-9 સી ભરવાની સમય મર્યાદા વધારી દીધી છે. સમય મર્યાદામાં આ વધારો ચૂંટણી પંચની મંજૂરી સાથે કરવામાં આવ્યો છે.
Government has decided to further extend the due date for furnishing of GSTR-9 and GSTR-9C for the financial year 2019-20 to 31.03.2021 with the approval of Election Commission of India: Department of Revenue, Ministry of Finance pic.twitter.com/gKkPtGgjbW
— ANI (@ANI) February 28, 2021
જીએસટીઆર-9 એક વાર્ષિક રિટર્ન છે, જે જીએસટી અંતર્ગત રજીસ્ટર્ડ કરદાતઓને ભરવાનો હોય છે. જીએસટીઆર-9સી ઓડિટ કરેલા વાર્ષિક નાણાકિય લેખા-જોખા અને જીએસટીઆર-9નું જોડાણ છે.
એએમઆરજી એન્ડ એસોસિએટ્સના સીનીયર પાર્ટનર રજત મોહને કહ્યુ હતું કે, ભલે તે 31 દિવસ નાનો એવો વિસ્તાર હોય પણ ધંધાર્થીઓ માટે જરૂરીયાત પુરી કરવા માટે આ સમય મહત્વનો સાબિત થશે.
READ ALSO
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
- ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત
- ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર
- BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા
- આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી
