GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

વિશ્વાસઘાત! અમદાવાદના બુલિયન વેપારીના કર્મચારીએ કરી છેતરપિંડી, 13 કરોડ 50 લાખનું સોનું લઈને અન્ય સાથીદારો સાથે થયો ફરાર

અમદાવાદ શહેરના બુલિયન વેપારી સાથે છેતરપીંડી થયાનો અહેવાલ સામે આવ્યા છે. વેપારીને ત્યાં કાર્યરત કર્મચારીએ જ વિશ્વાસઘાત કરીને છેતરપીંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. 13 કરોડ 50 લાખ રૂપિયાનું સોનું લઈને પાંચ શખ્સો ફરાર થઈ ગયા બાદ પોલીસ આ મામલે એક્શનમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદથી કર્મચારીને મુંબઈ જતી બસમાં બેસાડ્યા હતા અને આ સોનું મુંબઈ પહોંચાડવાનું હતું, પણ મુંબઈ સોનું પહોંચ્યું નહીં, અને આરોપીઓએ છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા.

મુંબઇ સોનુ લઇ જવાતા પહેલા જ આરોપીઓએ કરી છેતરપિંડી

  • 13.50 કરોડનું 25 કિલો સોનું લઇ આરોપીઓ ફરાર
  • ક્રાઇમબ્રાંચમાં નોંધાઇ ફરિયાદ
  • મુંબઇ સોનું લઇ જવાતા પહેલા જ આરોપીઓએ કરી છેતરપિંડી
  • રસ્તામાં બસ રોકાવી કારમાં સોનું લઇ ફરાર
  • ક્રાઇમબ્રાંચે પાંચ આરોપીઓની તપાસ હાથ ધરી

બન્ને બેગો સોનાથી ભરેલી હતી, જેમાં એક બેગ વેપારીના કર્મચારી પાસે હતો અને બીજી બેગ વેપારીના મિત્ર પાસે હતી. આ કર્મચારી સાથે વેપારીનો મિત્ર પણ હતો. જ્યારે બસ અમદાવાદથી મુંબઈ તરફ રવાના થઈ અને ભરૂચ- અંકલેશ્વર હાઈવે પર બસ રોકાઈ હતી, તે દરમ્યાન વેપારીનો મિત્ર બસમાંથી ઉતરીને ફ્રેશ થવા જેવો ગયો અને કર્મચારીએ આ તકનો લાભ લઈને બન્ને બેગ સાથે એક કારમાં અન્ય સાથીદારો સાથે તરત બેસીને તે નાસી છૂટ્યો હતો. અને વેપારીને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યાર બાદ વેપારીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

READ ALSO

Related posts

VADODARA / ડભોઈમાં વીજ થાંભલા પર રીપેરીંગ કરતા સમયે કરંટ લાગતા MGVCLના એક વીજકર્મીનું મોત

Nakulsinh Gohil

‘ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો……’, જસ્ટિન ટ્રૂડોને આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો

Rajat Sultan

અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી, કેન્દ્રની હાઈ-લેવલ કમિટી આવી તાત્કાલિક એક્શનમાં

Kaushal Pancholi
GSTV