ગોવામાં ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટો માટે ચાલી રહેલો ગજગ્રાહ અટકી રહ્યો નથી. પહેલા ભાજપના દિવંગત અને કદાવર નેતા મનોહર પરિકરના પુત્ર ઉત્પલ પરીકરે રાજીનામુ આપ્યુ હતુ.હવે ગોવાના પૂર્વ સીએમ અને ભાજપના નેતા લક્ષ્મીકાંત પારેસકરે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યુ હતુ કે, આજે સાંજે હું ઔપચારિક રીતે પાર્ટી છોડી દઈશ.પારેસકર છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે.તેમાં પણ આ વખતે તેઓ જે બેઠક પરથી લડતા આવ્યા છે તે બેઠક પરથી બીજા કોઈને ટિકટ અપાઈ હોવાથી પારેસકર ઉકળી ઉઠયા છે.

પારેસકર જે ઉમેદવાર સામે ગત ચૂંટણી હાર્યા હતા તે ઉમેદવાર હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા છે અને ભાજપે તેમને ટિકિટ આપી છે.
પારેસકરે કહ્યુ હતુ કે, હવે મારી ભાજપમાં રહેવાની ઈચ્છા નથી.આગળ શું કરીશ તે હજી મેં નક્કી કર્યુ નથી.સૂત્રોનુ કહેવુ છે કે, તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. હાલમાં તેઓ ભાજપના ચૂંટણી ઢંઢેરો તૈયાર કરનાર કમિટિના સભ્ય છે.
READ ALSO
- ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ
- મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો
- અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ