ગીરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રોજેક્ટ લાયન અંગે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી અને એક મહિનામાં પ્રોજેક્ટ લાયન માટે તમામ ગતિવિધિઓ પૂર્ણ કરવા વનતંત્રને આદેશ આપ્યો છે. આ ઉપરાંત વનમંત્રીએ ગીરના માલધારીઓ, હોટલ સંચાલકો, સ્થાનિક ખેડૂતોની સાથે પણ મુલાકાત કરી હતી.
ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના વનમંત્રીએ કરી
માલધારીઓના પ્રશ્નોને હલ કરવા માટે પણ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત સિંહોને રસીકરણ અંગે પણ ચર્ચા થઇ હતી અને રસીકરણ કરવા બાબતે વનવિભાગનું વલણ હકારાત્મક હોવાની વાત રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી અને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના વનમંત્રીએ કરી હતી. આ ઉપરાંત સાસણ આવતા પ્રવાસીઓને મેંદરડા તરફથી સાસણ આવવા માટે રસ્તાની ખરાબ પરિસ્થિતિ છે. જેમાં યોગ્ય નિર્ણય લેવા માટે પણ આદેશ કરાયો હતો.
READ ALSO
- Delhi Accident: આઈજીઆઈ સ્ટેડિયમ નજીક મોટી દુર્ઘટના, આપસમાં ટકરાઈ 4 સ્કૂલ બસ, કેટલાય વિદ્યાર્થીઓ થયા ઘાયલ
- વડોદરા / સળિયાનો જથ્થો વેચવાના નામે સ્ક્રેપ વેપારી સાથે 7.61 લાખની ઓનલાઇન છેતરપિંડી
- મધમાં પલાળીને ખાઓ આ વસ્તુઓ, હાર્ટ એટેકનું ઘટશે જોખમ; માનસિક બીમારીઓ પણ રહેશે દૂર
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે