GSTV
Gandhinagar Trending ગુજરાત

શરમ કરો/ નીતિન પટેલ ટાઉન હોલનું ખાત મૂહુર્ત કરવાના હોવાથી ચૂંટણી આયોગે એક કલાક કરી મોડી જાહેરાત

સોમવારે સાંજે ચાર વાગ્યે ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત થવાની હતી. રાજય ચૂંટણી આયોગ જાહેરાત કરે તે પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ગાંધીનગરના ટાઉન હોલના રીનોવેશનનું ખાત મહુર્ત કરાયું હતું. જો કે નીતિન પટેલ ટાઉન હોલનું ખાત મૂહુર્ત કરવાના હોવાના કારણે ચૂંટણી આયોગે પોતાની જાહેરાત એક કલાક મોડી કરી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

રાજય ચૂંટણી આયોગે સોમવારે ચાર વાગ્યે ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર કરવાનો સતાવર કોલ આપી દીધો હતો પરંતુ સોમવારે બપોરે 3 વાગ્યે અચાનક નીતિન પટેલના ગાંધીનગર ટાઉન હોલના રીનોવેશનનું ખાત મુહુર્તના કાર્યકમનો મેસેજ આવી જતા ચૂંટણી આયોગે પોતાનો સમય બદલવો પડ્યો અને ચૂંટણી આયોગે ચાર વાગ્યે ચૂંટણી તારીખો જાહેર કરવાના બદલે પાંચ વાગ્યે ચૂંટણીની તારીખની જાહેરાત કરવાનું નક્કી કર્યું હતું.

જો કે નીતિન પટેલના કાર્યકમ અને ચૂંટણીના સમયમાં ફેરબદલ મામલે રાજય ચૂંટણી આયોગના કમિશ્નર સંજય પ્રસાદે જાણીને અજાણ બન્યા હતા અને મીડિયા સમક્ષ કહ્યું હતું કે વિગતો સમયસર તૈયાર ન થઇ હોવાના કારણે ચૂંટણીની જાહેરાતમાં એક કલાકનો વિલંબ કરવામાં આવ્યો હતો. જો કે કોઈના કહેવાથી આ જાહેરાત મોડી કરવામાં આવી નથી તે પ્રકારનું રટણ ચૂંટણી આયોગ કમિશ્નર કરતા રહ્યા હતા.

ALSO READ

Related posts

ભેજાબાજ ગઠિયાઓએ લોકોને વિશ્વાસમાં લીધા અને 300 કિલો સોનું લઈને થઈ ગયા ફરાર, 700 લોકો સાથે કર્યો વિશ્વાસઘાત

pratikshah

NMACCના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીના ભરતનાટ્યમ પર્ફોર્મન્સે મંત્રમુગ્ધ કર્યા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Hina Vaja

BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા

pratikshah
GSTV