GSTV
India News ટોપ સ્ટોરી

INX કેસમાં 71 પૂર્વ અમલદારોનો પીએમને પત્ર ચાર પૂર્વ અધિકારીઓને નિશાન બનાવાયા હોવાનો દાવો કર્યો

આઈએનએક્સ કેસમાં નાણાં મંત્રાલયના ચાર ભૂતપૂર્વ અધિકારીઓ સામે સકંજો કસાતા 71 ભૂતપૂર્વ અમલદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને ચાર અધિકારીઓને નિશાન બનાવાઈ રહ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે આ પ્રકારની કાર્યવાહી મહેનતુ અને પ્રમાણિક અધિકારીઓને મહત્ત્વના નિર્ણયો લેતા હતોત્સાહિત કરશે.

ભૂતપૂર્વ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર શિવશંકર મેનન, પંજાબના ભૂતપૂર્વ ડીજીપી જુલિયો રીબેરો સહિત 71 ભૂતપૂર્વ અમલદારોએ વડાપ્રધાનને મોકલાયેલા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે માગણી કરી હતી કે તર્કસંગત સમય મર્યાદા પછી કોઈ કેસની ફાઈલ ફરીથી ખુલવી ન જોઈએ.

ભૂતપૂર્વ અમલદારોએ ટૂંકા રાજકીય લાભો માટે નિવૃત્ત, કાર્યરત અધિકારીઓને ‘નિશાન’ બનાવવા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. ગયા મહિને સરકારે આઈએનએક્સ મીડિયા કેસમાં એફઆઈપીબીની મંજૂરી આપવા સંબંધે નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ સિંધુશ્રી ખુલ્લર અને અન્યો સામે કેસ ચલાવવા સીબીઆઈને મંજૂરી આપી હતી.

આઈએનએક્સ મીડિયા કેસમાં ખુલ્લર ઉપરાંત સરકારે માઈક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ અનુપ કે. પુજારી, નાણામંત્રાલયમાં તત્કાલિન ડિરેક્ટર પ્રબોધ સક્સેના અને આર્થિક બાબતોના વિભાગમાં ભૂતપૂર્વ અન્ડર સેક્રેટરી રબિન્દ્ર પ્રસાદ સામે કેસ ચલાવવાની પણ મંજૂરી આપી હતી તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. 

અધિકારીઓએ ‘રાજકીય અદાવતોનો ભોગ’ અધિકારીઓને બનાવી તેમની સામે થતી ફોજદારી કાર્યવાહી સામે પણ સરકારની ઝાટકણી કાઢી હતી. ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી અમલદારોને તેમની સત્તાવાર ફરજ અદા કરતી વખતે ઉત્સાહપૂર્ણ કૃત્યો માટે કોઈ સંરક્ષણ નહીં મળી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ

Siddhi Sheth

નોકરીયાત વર્ગ માટે આવ્યા ખુશ ખબર ભારતમાં સરેરાશ પગાર વધારો 10.2% થવાની સંભાવના

pratikshah

111 વર્ષનું થયું બિહાર / 1912માં બંગાળ પ્રાંતથી અલગ થઈ સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Kaushal Pancholi
GSTV