સુરત: મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં દરોડા પાડ્યા છે. શહેરની 15 જેટલી સંસ્થાઓમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે કેકના નમૂના પણ લેવાયા છે. અને આ નમૂના ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
વિગતવાર જોઈએ તો, ફૂડ વિભાગે શહેરની 15 સંસ્થાઓમાંથી કેકના 21 નમૂના લીધા છે. જેમાં ઉન વિસ્તારની સાહિલ બિસ્કિટ બેકરી, ઉધનાની કૈશાહન એન્ટરપ્રાઇઝ, દિલીસ્યા ફૂડ, જી.બી.ફૂડ એન્ડ કન્ફેક્શનરી, ડેનિસ કેક એન્ડ બેકર્સ સહિત અન્ય શાખાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રાંદેરની સંતોષ બેકરી, અડાજણની આદારો એન્ટરપ્રાઇઝ, અમરોલીની પવન બેકરી, વરાછાની કૃષ્ણા બેકરી, ભટારની ઉમરાવ કેક્સ એન્ડ બેકર્સ, રૂદરપુરાની ઉમરાવ કેક્સ એન્ડ બેકર્સમાં દરોડા પાડ્યા છે.
આમ આ તમામ સ્થળોએ મળીને કુલ 21 નમૂના લેવામાં આવ્યા છે જેને શીલ કરી લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. નમૂના ફેલ જણાશે તો ફૂડ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
READ ALSO
- વાસ્તુશાસ્ત્ર/ ઘર બનાવતી વખતે વાસ્તુના આ 6 નિયમો ધ્યાનમાં રાખો, કોઈ પણ અવરોધો વિના થશે જીવનમાં પ્રગતિ
- કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, સરકારી ગ્રાન્ટેડ શાળામાં કારકિર્દી માર્ગદર્શન-વોકેશનલ ગાઈડન્સ માટે કાયમી વ્યવસ્થા તંત્ર સ્થાપિત કરવા કરી માંગ
- Animal સામે ટક્કર આપવા તૈયાર છે વિક્કી કૌશલની Sam Bahadur, ધડાધડ થઈ રહ્યું છે ફિલ્મનું એડવાન્સ બુકિંગઃ જોઈ લો આંકડાઓ
- અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે
- ગુરુ બૃહસ્પતિ અને શુક્ર દેવે સમસપ્તક રાજયોગ બનાવ્યો, આ 4 રાશિના લોકોને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના પ્રબળ યોગ