સુરત: મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં દરોડા પાડ્યા છે. શહેરની 15 જેટલી સંસ્થાઓમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે કેકના નમૂના પણ લેવાયા છે. અને આ નમૂના ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
વિગતવાર જોઈએ તો, ફૂડ વિભાગે શહેરની 15 સંસ્થાઓમાંથી કેકના 21 નમૂના લીધા છે. જેમાં ઉન વિસ્તારની સાહિલ બિસ્કિટ બેકરી, ઉધનાની કૈશાહન એન્ટરપ્રાઇઝ, દિલીસ્યા ફૂડ, જી.બી.ફૂડ એન્ડ કન્ફેક્શનરી, ડેનિસ કેક એન્ડ બેકર્સ સહિત અન્ય શાખાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રાંદેરની સંતોષ બેકરી, અડાજણની આદારો એન્ટરપ્રાઇઝ, અમરોલીની પવન બેકરી, વરાછાની કૃષ્ણા બેકરી, ભટારની ઉમરાવ કેક્સ એન્ડ બેકર્સ, રૂદરપુરાની ઉમરાવ કેક્સ એન્ડ બેકર્સમાં દરોડા પાડ્યા છે.
આમ આ તમામ સ્થળોએ મળીને કુલ 21 નમૂના લેવામાં આવ્યા છે જેને શીલ કરી લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. નમૂના ફેલ જણાશે તો ફૂડ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો