ભારતની ચેતવણી છતાં પાકિસ્તાને સતત ત્રીજા દિવસે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પાસે આવેલી ફોરવર્ડ ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાને રાતે ૧ વાગ્યાથી પૂંચ સેક્ટરમાં અંકુશ રેખા પાસે આવેલી ફોરવર્ડ ચોકીઓ પર મોર્ટારમારો અને ગોળીબાર શરૃ કરી દીધો હતો. જેના પગલે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજૌરી અને પૂંચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાકિસ્તાની સેના દ્વારા પાંચ વખત શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પાકિસ્તાનની સેનાએ રાજૌરી જિલ્લાના કલાલ સેકટરમાં કોઇ પણ કારણ વગર મોર્ટારમારો અને ગોળીબાર શરૃ કરી દીધો હતો.
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત
આ અગાઉ મંગળવારના રોજ રાજૌરીના નોવશેરાી સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ કોઇ પણ કારણ વગર ગોળીબાર શરૃ કરી દીધો હતો. ૨૦૧૮માં પાકિસ્તાની સેનાએ ભારત-પાક સરહદ પર ૨૯૩૬ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. જે છેલ્લા ૧૫ વર્ષમાં સૌૈથી વધુ છે. શસ્ત્રવિરામ અંગે ૨૦૦૩માં સમજૂતી થઇ હોવા છતાં પાકિસ્તાન સતત શસ્ત્રવિરામ ભંગ કરી રહ્યું છે. પુલવામા આતંકી હુમલા અને સરહદે વધતી જતી શસ્ત્રવિરામ ભંગની ઘટનાઓને પગલે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા ગામોના લોકોની ચિંતામાં વધારો થયો છે.