GSTV
Auto & Tech breaking news India News Uncategorized

વાહનચાલકો માટે રાહતના સમાચાર, પોલીસ 30મી સપ્ટેમ્બર સુધી નહીં આપી શકે તમને મેમો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગે જાહેરનામું બહાર પાડી 31 જુલાઈ સુધીમાં ફીની માન્યતા અને વધારાની ફીમાં મુક્તિ આપી દીધી હતી. હવે રાજ્યોને ફી, ટેક્સ, નવીકરણ, દંડ વગેરેમાંથી મુક્તિ અંગે વિચારણા કરવા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા કહેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય આવી ફી માંથી મુક્તિ આપે એવી માંગણી લોકોએ ક્યારની કરી છે. હવે ભાજપની રૂપાણી સરકાર તેમાંથી મૂક્તિ આપે છે કે કેમ તેની લોકો રાહ જોઈ રહ્યાં છે.

કોરોનાએ બદલાવ્યા નિયમો

ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી ચોપડી, પરવાનગી અથવા અન્ય કોઈ સંબંધિત દસ્તાવેજ કોરોના વાયરસના રોગચાળા દરમિયાન સમાપ્ત થાય છે, તો પોલીસ 30 સપ્ટેમ્બર સુધી તમારું ચલણ કાપશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર મોટર વાહનના દસ્તાવેજોની માન્યતા વધારવાની જાહેરાત કરી છે. મંગળવારે, આ દસ્તાવેજોની માન્યતા 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી હતી. આ સાથે, મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ સંદર્ભે સલાહકારી નોંધ જારી કરી છે.

અગાઉ, લોકડાઉનને કારણે, 30 માર્ચે મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તંદુરસ્તી, પરમિટ્સ , ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી અને અન્ય સંબંધિત દસ્તાવેજો માટેની માન્યતા વધારવા માટે સલાહકાર જારી કરી હતી. તે સમયે, 1 ફેબ્રુઆરીથી 30 જૂન સુધી સમાપ્ત થયેલ દસ્તાવેજોની માન્યતામાં વધારો કરવામાં આવ્યો હતો.

રકારના આ નિર્ણયથી તે લોકો માટે નોંધપાત્ર રાહત મળશે

સરકારના આ નિર્ણયથી તે લોકો માટે નોંધપાત્ર રાહત મળશે, જેમના દસ્તાવેજો આ દરમિયાન સમાપ્ત થયા છે. લોકડાઉન ખુલવાના કારણે લોકોને વાહનોથી ડ્યુટી પર જવુ પડે છે, તેથી આ દસ્તાવેજો જલ્દીથી નવીકરણ કરવા માટે તેમના ઉપર દબાણ હતું.

Related posts

Solar Highway / UPમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu
GSTV