GSTV
Business Trending

અદાણીના શેરમાં મોટા ઘટાડા બાદ પણ એલઆઇસીને થયો 26 હજાર કરોડનો નફો, વીમા કંપનીએ જ આપી માહિતી

અમેરિકન રિસર્ચ ફર્મ હિન્ડરબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 25% સુધી તૂટ્યા અને તેના કારણે અદાણી ગ્રૂપના માર્કેટ કેપને રૂ. 4 લાખ કરોડથી વધુનું નુકસાન થયું. વીમા કંપની એલઆઈસીનું પણ અદાણી ગ્રૂપમાં રોકાણ છે અને 27 જાન્યુઆરીએ જ્યારે શેરમાં ઘટાડો થયો ત્યારે એલઆઈસીને પણ રૂ. 16,000 કરોડથી વધુનું નુકસાન થયું હતું.

અદાણી

આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે અદાણી ગ્રૂપમાં એલઆઇસીના રોકાણથી મોટું નુકસાન થયું છે. સોશિયલ મીડિયા પર પણ વિવિધ પ્રકારની વાતો થવા લાગી. સમગ્ર ઘટના બાદ જ એલઆઇસીએ નિવેદન જાહેર કર્યું છે. એલઆઇસીએ સોમવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેણે અદાણી ગ્રૂપની કંપનીઓમાં કુલ રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું છે. એટલે કે એલઆઇસી એ અદાણી ગ્રુપની કંપનીઓના 30 હજાર કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. માહિતી આપતા વીમા કંપનીએ જણાવ્યું કે 27 જાન્યુઆરીએ બજાર બંધ થયું ત્યાં સુધી એલઆઇસીના શેરનું મૂલ્ય 56,142 કરોડ રૂપિયા હતું. એટલે કે મોટા ઘટાડા પછી પણ એલઆઇસી રૂ. 26,000 કરોડના નફામાં હતી.

એલઆઇસીએ વધુમાં જણાવ્યું હતું કે અદાણીની તમામ ડેટ સિક્યોરિટીઝનું ક્રેડિટ રેટિંગ એએ અને તેથી વધુ છે, જે વીમા નિયમનકાર Iઇરડા દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરે છે.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV