GSTV
India ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓની ઘેરાબંધી કરી છે. સુરક્ષાદળો અને આંતકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેના અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના મીડિયા અહેવાલ છે. સુરક્ષાદળોએ મોડી રાત્રે અનંતનાગના કોકેરનાગમાં આતંકવાદીઓની હાજરીના ઈનપુટ્સના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સુરક્ષાદળોએ વળતી કાર્યવાહી કરી હતી અને તેની સાથે જ એન્કાઉન્ટર શરૂ થયું હતું. અથડામણને કારણે અનંતનાગના કોકેરનાગ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા અટકાવી દેવામાં આવી છે.

Related posts

wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર

HARSHAD PATEL

‘ભારત અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યું છે’: ઈસરોનું ‘વેદમાંથી મેળવેલા વિજ્ઞાન’ નિવેદન પર ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ

Padma Patel

‘રાષ્ટ્રગીત માટે મંચ પર ન રોકાયા કેજરીવાલ’, કપિલ મિશ્રાના આરોપ પર દિલ્હી સરકારે કરી સ્પષ્ટતા

Kaushal Pancholi
GSTV