નિવત્તિ લેનાર સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે. સરકારે નિવૃત્તિ પર મળતા તમામ પ્રકારના પેન્શન લાભને સરકારે વિલંબ કર્યા વિના નિવૃત્તિ સમયે તમામ પ્રકારના પેન્શન લાભ સમયસર આપવાનો નિર્ણય લીધો છે. કર્મચારી અને જાહેર ફરિયાદ મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર્સ વેલ્ફેર વિભાગે નિવૃત્તિના દિવસે પેન્શનના લાભો સુનિશ્ચિત કરવા તમામ મંત્રાલયોને પત્ર લખ્યો છે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે.

ખરેખર, વિભાગને જાણવા મળ્યું છે કે ચુકવણીની સમયમર્યાદા અને ભવિષ્યની સૉફ્ટવેર હોવા છતાં (ઑનલાઇન પેન્શન સ્વીકૃતિ અને પેમેન્ટ ટ્રેકિંગ સિસ્ટમ) નિયમો અને નિર્દેશો દ્વારા પ્રક્રિયાઓને સરળ અને સુવ્યવસ્થિત કરવા છતાં, પેન્શન ચુકવણી ઓર્ડર (પી.પી.ઓ.) અને નિવૃત્તિ લાભો વિલંબિત થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. વિભાગ પાસે મોટી સંખ્યામાં મળેલી ફરિયાદોમાં સેવાનિવૃત્તિના અનેક મહિલાઓ બાદ પણ સેવાનિવૃત્તિ ચૂકવણીપાત્ર રકમની ચુકવણી ન કરવા સાથે સંબંધિત છે. સેવાનિવૃત્તિની બાકીની રકમને ચુકવવામાં વિલંબથી કેસ પણ થાય છે. મોટાભાગના કેસમાં કોર્ટે વિલંબના સમયગાળામાં વ્યાજ સહિત ચુકવણી કરવાનો આદેશ આપ્યો અને વિભાગના અધિકારીઓને લઇને ટિપ્પણી પણ કરી છે.

નિયમિત દેખરેખ રાખવા માટેની સૂચના
નિવૃત્તિ લાભ આપવામાં વિલંબ ન થાય તે માટે સરકારે વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને પેન્શન કેસની જાતે દેખરેખ રાખવા નિર્દેશ આપ્યો છે. આ બાબતે પણ સંમતિ થઈ છે કે પેન્શન બાબતોની સમીક્ષા કરવા માટે દરેક ઑફિસ / વિભાગમાં અસરકારક દેખરેખ પદ્ધતિની સ્થાપના કરવામાં આવશે. ‘ભવિષ્ય સૉફ્ટવેર’ માંથી ઉપલબ્ધ માહિતીનો આમાં ઉપયોગ કરવામાં આવશે. કર્મચારીઓની નિવૃત્તિ નિમિત્તે ઑફિસોમાં અવારનવાર વિદાય કાર્યક્રમ રાખવામાં આવે છે. આ સૌથી યોગ્ય સમય છે, જેનો ઉપયોગ પેન્શન બાબતોની પ્રગતિ અને સંબંધિત કર્મચારીઓને નિવૃત્તિ લેણાંની સમયસર ચુકવણીના મહત્વની સમીક્ષા કરવા માટે કરી શકાય છે. દરેક વિદાય સમારોહમાં, સંસ્થાના વડા તે વિભાગના તમામ કર્મચારીઓની પેન્શન બાબતોની પ્રગતિની સમીક્ષા કરી શકે છે, જે આગામી છ મહિનામાં નિવૃત્ત થવાના છે.

વિભાગને માહિતી આપવાની રહેશે
જો કોઈ વિભાગ પેન્શન પ્રક્રિયામાં વિલંબ માટે કોઈ કેસ શોધી કાઢે છે, તો તેને વધુ માહિતી આપવી પડશે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, દરેક વિભાગને વહીવટી મંત્રાલય / વિભાગના સચિવને કેસમાં નિવૃત્તિના બે મહિનાથી વધુ સમય થયા હોવા છતાં પી.પી.ઓ. જારી કરવામાં આવતા ન હોય તેવા અર્ધવાર્ષિક નિવેદન આપવાનું કહેવામાં આવી શકે છે. તે પણ પૂછશે કે શા માટે પીપીઓ જારી કરવામાં વિલંબ થયો? જો વિભાગનો દોષ જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. સરકારની તૈયારી એ છે કે નિવૃત્તિના દિવસે કર્મચારીને નિવૃત્તિના તમામ લાભો ચુકવવામાં આવે તેની ખાતરી કરવાની છે.

પેન્શન નિયમમાં અંતિમ તારીખ
પેન્શન નિયમો 1972 માં સરકારી કર્મચારીને પેન્શન અને ગ્રેચ્યુઇટીના સમયસર ચુકવણી માટે સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. સમયમર્યાદા મુજબ, સેવાની ચકાસણી અને અન્ય તૈયારીઓની પ્રક્રિયા એક વર્ષ અગાઉથી શરૂ કરવી પડશે. તે જ સમયે, સરકારી કર્મચારીએ નિવૃત્તિ પહેલાંના છ મહિના પહેલાં ફોર્મ સબમિટ કરવાનું રહેશે, જ્યારે કચેરીના વડાએ પેન્શન કેસને પીએઓને ચાર મહિના અગાઉ મોકલવાની રહેશે. તે જ સમયે, પીએઓએ એક પીપીઓ જારી કરવો જોઈએ અને નિવૃત્તિના એક મહિના પહેલાં તેને સીપીએઓને મોકલવો જોઈએ. સીપીએઓએ તે પછીના 21 દિવસની અંદર સ્પેશિયલ સીલ ઓથોરિટીને મોકલવાની જરૂર છે. નિવૃત્તિ સમયે નિવૃત્ત થતા કર્મચારીને પીપીએઓની નકલ અને અન્ય લાભોની નકલ સોંપવી જોઈએ.
Read Also
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ
- શેરબજારમાં આજે નહીં થાય ટ્રેડિંગ, 31 માર્ચ સુધી રાહ જોવી પડશે, જાણો કેમ ?
- સુરત! રામ નવમીના દિવસે માર્કેટ ચાલુ રાખવાના નિર્ણયનો વિવાદ વકર્યો, ફોસ્ટા અધ્યક્ષનું હિંદુ સંગઠનોના કાર્યકરે શાહી ફેંકી કર્યું મોઢું કાળું