ખાંભાના નેસડાઓમાં વસતા માલાધારીઓએ મત આપવા સાત કિલોમીટર પદયાત્રા કરી મતદાન કરવા જવાની ફરજ પડે છે કારણ કે એમના માટે મતદાન કેન્દ્રની કોઈ જ સુવિધા નથી. ખાંભા પંથકમાં ગિરના જંગલમાં અનેક માલાધારીઓ નેસમાં રહે છે એમાં ચૂટણી કેન્દ્ર ન હોવાથી અનેક માલાધારીઓએ નજીકના ભાણીયા, પીપળવા, ગામોએ છેક સાત કિલોમીટર પદયાત્રા કરીને મત આપવા જવું પડે છે.

નેસડાઓમાં ૨૦૦ માલાધારીઓની વસતી
આ જંગલમાં જાંબુડાવાળો પાડા ગાળો રેબડી પાટ,સાપરાનોનેસ, ભાણ ભદાણી શિરનો નેસ, સહિતના નેસડાઓમાં ૨૦૦ માલાધારીઓની વસતી છે. આ બાધા માલાધારીઓને શાળાની કે અન્ય કોઈ વ્યવસ્થા નથી.
મતદાન કેન્દ્ર ન હોવાથી દુરદુર મત આપવા જવું પડે
તેમજ મતદાન કેન્દ્ર ન હોવાથી દુરદુર મત આપવા જવું પડે છે. ભારતીય ચૂટણી પંચ એક મતદાર માટે ગીરના જંગલમાં મતદાન કેન્દ્ર ઉભુ કરે, દરિયામાં શિયાળબેટ ઓખાના બેટમાં હોડીઓમા સ્ટાફ મોકલી મતદાન કરાવે, ગીરના નેસડાઓને મતદાન કરવા માટે ખાસ મતદાન બૂાથ ઉભા કરે પણ અહી એક પણ મતદાન માથક ન હોવાથી બાધા દરેક ચૂટણીમાં મુશ્કેલી અનુભવે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- PHOTOS / ભારતમાં કયા પ્રાણીઓને કાયદેસર રીતે પાળી શકાય છે અને કોને નહીં?
- ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!
- સુરત/ જેબી બ્રધર હીરા કંપનીના પૂર્વ રત્નકલાકારોના ધરણા, ગ્રેજ્યુઈટીને લઈ શ્રમ વિભાગ કચેરીએ માંડ્યો મોર્ચો
- સુરત/ એથર ઈન્ડસ્ટ્રીઝની આગમાં 9ના મોત, નિષ્પક્ષ તપાસ હાઈકોર્ટના પૂર્વ ન્યાયધિશ પાસે કરાવવાની કોંગ્રેસની માગ
- જાણો કોણ છે મોહન યાદવ, જે બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી