ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે. જો કે દરેક ચૂંટણી વખતે ચૂંટણી પંચ એ જ પ્રયાસોમાં રહે છે કે વધુમાં વધુ મતદાન કેમ થઇ શકે. લોકો મતદાન કરવા મતદાન મથક સુધી પહોંચે એ માટે અનેક સકારાત્મક પગલાંઓ લેવામાં આવે છે. મતદાનના દિવસે રજા પણ જાહેર કરવામાં આવે છે. આમ છતાં કેટલાક કર્મચારીઓ મતદાન કરવા જતા નથી. હવે આવા કર્મચારીઓ સામે ચૂંટણી પંચ કાર્યવાહી કરશે.

આજે ગાંધીનગરમાં યોજાયેલી ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઈન્ડસ્ટ્રી કંપનીઓ મતદાનના દિવસે કર્મચારીઓને રજા આપે અથવા મતદાન કરવાની રજા આપે તેવી રાજકીય પક્ષોએ રજુઆત કરી છે. 5 હજારથી વધુ કર્મચારીઓ જે કંપનીમાં કામ કરે છે તે કંપની એક નોડલ ઓફિસરની નિમણુંક કરે કારણ કે કંપનીઓ મતદાન કરવા માટે રજા આપે છે તો કર્મચારીઓએ મત આપવા જવુ જોઈએ અને જે મત નથી આપતા તે કર્મચારીઓ સામે પગલા ભરાશે.
મતદાન કરવું એ ફરજીયાત નથી કોઈ ખાસ પગલા નથી ભરવામાં આવતા પરંતુ આ વખતે તેમણે કેમ મતદાન નથી કર્યું, શુ કારણ હતા તેની જાણકારી મેળવવામાં આવશે. ગુજરાત ચૂંટણી પંચ આ મામલે વિવિધ કંપનીઓ સાથે MOU કરશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત