ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 નજીક જ છે, જો કે ચૂંટણી પંચે હજી સુધી સત્તાવાર રીતે ચૂંટણીની વિવિધ તારીખો જાહેર કરી નથી. આમ છતાં કેટલાક લોકો અને સ્વઘોષિત જ્યોતિષીઓ ચૂંટણીની તારીખો ગામમાં કહેતા ફરે છે. આવા લોકોને ચૂંટણીપંચે ફટકાર લગાવી છે.
કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમે ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આજે 27 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી અને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે કેટલીક મહત્વની જાહેરાઓ કરી હતી તેમજ અન્ય બાબતો અંગે પણ માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે ચૂંટણીની તારીખો નક્કી કરનારા સ્વઘોષિત જ્યોતિષીઓને ફટકાર લગાવી હતી.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કેટલાક જ્યોતિષો છે જે પોતાની જાતે ચૂંટણીની તારીખ નક્કી કરી રહ્યા છે પરંતુ હજી ચૂંટણી પંચે તારીખ નક્કી કરી નથી. ચૂંટણી પંચ તારીખ ટૂંક સમયમાં જાહેર કરશે અને મીડિયાને પહેલા જાણ કરશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે અમારા આવ્યા પહેલા જ કેટલા “સ્વઘોષિત જ્યોતિષી” એ તારીખો જાહેર કરી છે જે યોગ્ય નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ