વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગીર સોમનાથની મુલાકાતે છે. તેઓ સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠક યોજશે.વેરાવળ ખાતે કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે આ બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિતરહેશે.

- ચૂંટણી પહેલા ભાજપની સૌરાષ્ટ્રની તમામ બેઠક પર નજર
- ૨૦૧૭ની ચૂંટણીમાં કુલ ૫૪માંથી ૨૩ બેઠક ભાજપને મળી
- કાેંગ્રેસને ૫૪ પૈકી સૌથી વધારે ૩૦ બેઠક મળી

વિધાનસભાની ચૂંટણી અગાઉ પીએમ મોદી બાદ અમિત શાહ પણ મિશન સૌરાષ્ટ્રની મુલાકાતે છે. ભાજપ માટે સૌરાષ્ટ્ર એટલા માટે મહત્વનું છે કેમ કે, 2017ની ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસને સૌથી વધારે બેઠક મળી હતી. 2017માં 54 બેઠકમાંથી 23 ભાજપને અને 30 કોંગ્રેસને મળી હતી. આ વખતે પાટીદાર આંદોલન કરનારા તેમજ અનેક પાટીદાર અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે, જેથી આ વર્ષે 28 બેઠકોને અસરકારક હોય એમ માનવામાં આવે છે.
RED ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો