નેપાળ સહિત ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી અને ભૂકંપનું કેન્દ્ર નેપાળના ધાદિંગ જિલ્લાના નૌબત ખાતે નોંધાયું હતું. હાલ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનની કોઇ ખબર નથી.
નેપાળના નેશનલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર સવારે 6:20 વાગ્યે પહેલો આંચકો આવ્યો જેની તીવ્રતા 5.2 હતી. એ પછી 6:40 વાગ્યે બીજો આંચકો આવ્યો જેની તીવ્રતા 4.8 નોંધવામાં આવી. નેપાળમાં આવેલા ભૂંકપના આંચકાની અસર ઉત્તર ભારતના કેટલાંય વિસ્તારોમાં અનુભવાઇ હતી.
અગાઉ રાતે લગભગ પોણા બે વાગ્યે અરુણચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા આવ્યાં હતાં જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 હતી અને ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશનું પશ્ચિમ સિયાંગ હતું.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો