પૂર્વ કચ્છનાં ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. રિક્ટરસ્કેલ ઉપર 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 12:05 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો છે. મહત્વનું છે કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર દૂર નોંધાયું છે.

જાણો ભૂકંપ કેવી રીતે આવે છે?
પૃથ્વીની અંદર સાત પ્લેટ હોય છે કે જે સતત ફરતી રહે છે. જો આ પ્લેટો અચાનક જ અથડાય તો તુરંત ભૂકંપ આવે છે. તેને એવી રીતે સમજીએ કે, પ્લેટો અંદરોઅંદર અથડાય છે ત્યારે ફોલ્ટ લાઇન ઝોન રચાય છે. જ્યાર બાદ સપાટીના ખૂણાઓ વળી જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાના કારણે અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે જેના કારણે ધરતી ધ્રુજે છે કે જેને ‘ભૂકંપ’ કહેવાય છે.

ગુજરાતમાં કચ્છ સદીઓથી ભૂકંપની વધુ શક્યતાવાળા વિસ્તારમાં
મહત્વનું છે કે, ગુજરાત અને ગુજરાતમાંય ખાસ કરીને કચ્છ સદીઓથી ભૂકંપની વધુ શક્યતાવાળા વિસ્તારમાં છે. પૃથ્વી કરોડો વર્ષોથી એક સપાટ મેદાન પર બની નથી પણ ધરતીના વિશાળકાય પ્લેટ જોડાઈને બની છે. હિમાલીયન કોલાઈઝન ઝોનમાં આવેલ ગુજરાતમાં ભૂકંપનું કારણ ભારતીય પ્લેટ (પૃથ્વીનો પોપડો) ઉત્તર તરફ (એમ કહી શકાય કે ભારતની ભુમિ ઉત્તર તરફ ખસી રીહ છે) ખસે છે જ્યાં યુરેશિયન પ્લેટ સાથે અથડામણ થતા મોટા ભૂકંપ આવે છે.
READ ALSO :
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ
- સુરત/ પુણા ગામમાં DGVCLની બંધ પડેલી હાઈટેન્શન લાઈનનો ટાવર ધરાશાયી થતાં અફડાતફડી મચી
- ‘પશ્ચિમ બંગાળમાં દીદીનો સમય પૂરો, 2026માં ભાજપની સરકાર બનશેઃ’ અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડેહાથ
- પાણી પીવાના કથિત મામલે ગામના લોકોએ દલિત યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન થયું મોત