લોકસભાની ચૂંટણી પહેલાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાનાં ઘરે કોળી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ જિલ્લામાંથી પાંચ-પાંચ કોળી સમાજનાં આગેવાનો જોડાયાં હતાં. કુંવરજીને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની ચર્ચા વચ્ચે કોળી સમાજની યોજાયેલી બેઠકથી પાટનગરની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો. જોકે બાવળિયાએ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
ગાંધીનગરમાં કુંવરજી બાવળિયાનાં ઘરે કોળી સમાજની બેઠકથી રાજકારણમાં ગરમાવો જોવાં મળ્યો છે. જસદણની પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયાની જીત બાદ ભાજપમાં તેમનું કદ વધ્યું છે. ત્યારે કુંવરજી બાવળિયાની સમાજનાં આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં કોળી સમાજનાં 100થી પણ વધુ આગેવાનો હાજર રહ્યા. સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાંથી પાંચ-પાંચ કોળી આગેવાનો જોડાયાં હતાં.
લોકસભાની ચૂંટણી નજીક આવતાં કોળી સમાજની રાજનીતિ તેજ બની છે. ત્યારે કોળી સમાજ ભાજપને કઈ રીતે ફાયદો કરાવી શકે અને સમાજના પડતર પ્રશ્નોની બેઠકમાં ચર્ચા થઈ. બાવળિયાએ કહ્યું છે કે ભાજપ ચૂંટણીમાં જે જવાબદારી આપશે તે નિભાવવા તેઓ તૈયાર છે.
કુંવરજી બાવળીયા ભલે આ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવે, પરંતુ જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીના આરંભે સૌરાષ્ટ્રમાં કોળી મહાસંમેલન યોજાય તેવી શક્યતા છે. ત્યારે ચૂંટણીના ત્રણ મહિના પહેલા મળેલી બેઠકના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવે છે.
READ ALSO
- મોટો નિર્ણય / રાજ્યના સરકારી ગોડાઉનમાં નહિ થાય અનાજની ચોરી, સરકાર લગાવશે 6 હજાર જેટલા CCTV કેમેરા
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ
- મોટા સમાચાર / ગજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહીં મળે વિપક્ષનું પદ, આ ફેરફારથી થયો ઘટસ્ફોટ 
- મોટા સામાચાર / ગુજરાત સરકારે સત્તાવાર કરી જાહેરાત, આગામી બજેટ સત્રમાં પેપરલીક મામલે નવો કાયદો લવાશે
- ખેડૂતો માટે મોટા સમાચાર / સરકાર તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે, 1 ફેબ્રુઆરીથી ઓનલાઇન નોંધણી શરૂ