કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન છે. એ સ્થિતિનો લાભ લઈને પ્રાણીઓ શહેરોના રસ્તામાં ઘૂમવા લાગ્યા છે. નોઈડાના મોલમાં એક નીલગાય ફરતી જોવા મળી હતી. એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સામાન્ય રીતે મોલના પટાંગણમાં કૂતરાં-બિલાડાંને પણ એન્ટ્રી મળતી નથી. પરંતુ અત્યારે લોકડાઉનની સ્થિતિ વચ્ચે એવાં જ એક મોલમાં નીલગાયને પ્રવેશ મળી ગયો હતો. નોઈડાના જીઆઈપી મોલમાં એક નીલગાય ફરતી જોવા મળી હતી. જંગલોના રસ્તાઓમાં જ નજરે ચડતી નીલગાય મોલમાં મોજથી ફરતી હતી તેનો વિડીયો વાયરલ થયો હતો.
This is unbelievable. Nilgai takes over #Noida streets. Not bad a video to watch during #Lockdown21. ❤️
— Ananya Bhattacharya (@ananya116) March 27, 2020
(Video via #WhatsApp) pic.twitter.com/IfHJIQfPgS
એ તસવીર અને વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. લોકોએ જાત-ભાતની પ્રતિક્રિયા આપી હતી અને લખ્યું હતું કે હવે પ્રકૃતિ માણસ પાસેથી તેમનો અધિકાર પાછો મેળવે છે તેનો આ સંકેત છે. યુઝર્સે લખ્યું કે થોડા દિવસ પહેલાં જાનવરો ક્યાંક ખૂણામાં પડયા હતા અને માણસ બધે જ છૂટથી ફરતો હતો. આજે માણસ ઘરમાં ભરાઈ પડયો છે અને જાનવરો છૂટથી ફરતા થયા છે. આ કુદરતનો કમાલ છે.
અગાઉ કેરળના રસ્તામાં જંગલી બિલાડી મોજથી મહાલતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એ જ રીતે ચંડીગઢ અને હરદ્વારના રસ્તાઓમાં સાબરની હાજરી નોંધાઈ હતી, જે સામાન્ય રીતે વન્ય વિસ્તારમાં જ જોવા મળે છે. એ જ રીતે અસામ, ઉત્તરાખંડ જેવા રાજ્યોના શહેરી વિસ્તારોમાં હાથીની હાજરી પણ જોવા મળી હતી. માનવીની હાજરી હોવાથી આવા સજીવો માનવ વસતિમાં ઓછા આવે છે.
READ ALSO
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ