ભારતમાં આવનારા સમયમાં ડીઝલથી ચાલતા ફોર વ્હીલર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. દેશ કાચા તેલની વધતી કિંમતો અને પ્રદૂષણની અસરને ઘટાડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને આ દરમિયાન એક ભલામણ પણ કરવામાં આવી છે, જે અંતર્ગત ડીઝલથી ચાલતા ફોર વ્હીલર પર પ્રતિબંધ મુકવામાં આવે એવી વાત કરવામાં આવી છે.
તેલ મંત્રાલયની પેનલે ભલામણ કરી છે કે ભારતે 2027 સુધીમાં ડીઝલ-સંચાલિત ફોર-વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને પ્રદૂષણ ઘટાડવા માટે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા પ્રદૂષિત શહેરોમાં ઈલેક્ટ્રિક અને ગેસ ઈંધણવાળા વાહનો પર સ્વિચ કરવું જોઈએ. ભારત જે ગ્રીન હાઉસ ગેસના સૌથી મોટા ઉત્સર્જકોમાંનું એક છે. દેશ 2070 સુધીમાં તેનું નેટ ઝીરો ટાર્ગેટ હાંસલ કરવા માટે તેની 40 ટકા વીજળીનું રિન્યુએબલમાં ઉર્જામાંથી ઉત્પાદન કરવા માંગે છે.
પેનલે ઓઇલ (તેલ) મંત્રાલયની વેબસાઇટ પર પોસ્ટ કરેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 2030 સુધી જાહેર પરિવહનમાં ઇલેક્ટ્રીક ના હોય એવી બસ જોડવી જોઇએ નહીં. 2024થી સિટી ટ્રાન્સપોર્ટમાં ડીઝલ બસો મૂકવાનું બંધ કરી દેવું જોઇએ. તે સ્પષ્ટ નથી કે પેટ્રોલિયમ મંત્રાલય ભૂતપૂર્વ ઓઇલ સચિવ તરુણ કપૂરની આગેવાની હેઠળની ઊર્જા સંક્રમણ સલાહકાર સમિતિની ભલામણોને લાગુ કરવા માટે કેબિનેટની મંજૂરી લેશે કે કેમ.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે 31 માર્ચ પછી ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રીક એન્ડ હાઇબ્રિડ વ્હીકલ સ્કીમ (ફેમ) હેઠળ આપવામાં આવતા પ્રોત્સાહનોના ‘લક્ષિત વિસ્તરણ’ પર ધ્યાન આપવું જોઈએ. ભારતમાં શુદ્ધ ઇંધણના વપરાશમાં ડીઝલનો હિસ્સો લગભગ બે-પંચમાંશ ભાગનો છે, જેમાંથી 80 ટકા પરિવહન ક્ષેત્રમાં વપરાય છે.
પેનલે જણાવ્યું છે કે, 2024થી માત્ર વીજળીથી ચાલનારા વાહનોને જ રજિસ્ટ્રેશનની મંજૂરી આપવી જોઇએ, અને કાર્ગોની અવરજવર માટે રેલવે અને ગેસથી ચાલનારા ટ્રકોનો વધુ ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. રેલ્વે નેટવર્ક બે થી ત્રણ વર્ષમાં સંપૂર્ણ ઈલેક્ટ્રીક થઈ જવાની ધારણા છે. ભારતે તેના ઉર્જા મિશ્રણમાં ગેસનો હિસ્સો હાલમાં 6.2 ટકાથી વધારીને 2030 સુધીમાં 15 ટકા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
પેનલે જણાવ્યું હતું કે ભારતે બે મહિનાની માંગની સમકક્ષ અંડરગ્રાઉન્ડ ગેસ સ્ટોરેજ બનાવવાનું વિચારવું જોઈએ, કારણ કે 2020 અને 2050 વચ્ચે માંગ સરેરાશ 9.78 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધવાની અપેક્ષા છે. તેમણે વિદેશી ગેસ ઉત્પાદક કંપનીઓની ભાગીદારી સાથે ગેસ સ્ટોરેજ બનાવવા માટે ઘટતા તેલ અને ગેસ ક્ષેત્રો, મીઠાની ગુફાઓ અને જળચરોનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું.
READ ALSO…
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો