ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના સાંસદ પોખરિયાલ નિશંક પોતાની દીકરી શ્રેયશી નિશંક પર ખૂબ જ ગૌરવ મહેસૂસ કરી રહ્યાં છે. શ્રેયશીએ આર્મી મેડિકલ સર્વિસના MOBC 224ના કોર્સને સફળતાપૂર્વક કરીને કેપ્ટન બની ગઇ.
તેમની તેનાતી રૂડકીના આર્મી હોસ્પિટલમાં થઈ છે, જ્યાં તેઓ ઘાયલ સૈનિકોની સારવાર કરે છે. દીકરીની આ સફળતા પર પોખરીયાલ નિશંક ખૂબ ખુશ છે. શ્રેયશીએ સેના માટે પોતાની લાખોની નોકરી છોડી દીધી હતી.
એક અખબાર મુજબ, પોખરિયાલે કહ્યું કે તેમના પરીવારમાંથી કોઈ સેનામાં નથી. તેઓ ઈચ્છતા હતા કે કોઈ જાય. દીકરીએ આવુ કરીને તેમના પરીવારનું ગૌરવ વધાર્યુ છે.
જણાવાઈ રહ્યું છે કે મોરેશિયસમાં એક આંતરરાષ્ટ્રીય મેડિકલ યૂનિવર્સિટીમાં શ્રેયશીને નોકરી મળી હતી, પરંતુ શ્રેયશીએ દેશમાં જ કામ કરવાનો નિર્ણય લીધો. તેઓ બાળપણથી તબીબ બનવા માંગતી હતી, પરંતુ 2 વર્ષ પહેલા મિલિટ્રીને લઇને તૈયારી શરૂ કરી હતી.
READ ALSO
- ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન
- મમતા બેનર્જી અને અશ્વિની વૈષ્ણવની વચ્ચે પ્રેસ કોન્ફરન્સમાં ટક્કર, બંગાળના CMના દાવા પર રેલવે મંત્રીએ વાંધો વ્યક્ત કર્યો
- થિયેટરની બહાર મુવી રિવ્યુઅર સંતોષ વારને મારવામાં આવ્યો: ફિલ્મ વિધિન સેકેન્ડ્સનો રિવ્યુ કરવા પહોંચ્યા હતા, લોકોએ ઘેરી લીધા
- સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ એરલાઈન્સને આપી ચેતવણી, કહ્યું- જો ભુવનેશ્વર જતી કે આવતી એરલાઈન્સનું ભાડું વધારે હશે તો પગલા લેવાશે
- રેલ દુર્ઘટના/ સરકાર પીડિત પરિવારોના દુઃખમાં તેમની સાથે છે, દોષિતોને આકરી સજા આપવામાં આવશેઃ પીએમ મોદી