દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડના પુરાવાનો નાશ કરવા બિઝનેસમેન અમિત અરોડા અને મનિષ સિસોદિયાએ 11 મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હોવાનો ED એ દાવો કર્યો છે. આ બધા ફોન કૌભાંડના ગાળામાં ઉપયોગમાં લીધા પછી ફેંકી દેવાયા હતા. આ ફોનની કિંમત લગભગ 1.35 કરોડ રૂપિયા હતી. શરાબના ઘણા વેપારી અને ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ પોતાના ફોન બદલ્યા હતા.

કાયદાકીય નિષ્ણાતોના મતે, EDનો દાવો ચોંકાવનારો છે પણ આ અંગેના કોઈ પુરાવા રજૂ કરાયા નથી. સિસોદિયા સામે ED આક્ષેપ પર આક્ષેપ કર્યા કરે છે પણ તેમને આરોપી સુધ્ધાં બનાવાયા નથી એ જોતાં ઈડીની વાત પર કેટલો વિશ્વાસ મૂકી શકાય એ પણ સવાલ છે.
ગુરુગ્રામમાં આવેલી બડી રિટેલ કંપનીના અમિત અરોડાની મંગળવારે EDએ ધરપકડ કરી હતી. અરોડા સિસોદિયાની નજીક મનાય છે. CBIની ચાર્જશીટમાં દાવો કરાયો છે કે અમિત અરોડા અને અન્ય બે આરોપી દિનેશ અરોડા અને અર્જૂન પાંડે મનિષ સિસોદિયા માટે નાણાં ઉઘરાવતા હતા. અરોડાએ લાંચ દ્વારા લગભગ 2.5 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ