સાદું મીઠું જે ભોજનનો સ્વાદ વધારે છે તે વ્યક્તિનું આયુષ્ય ઘટાડી શકે છે. આ વાત ભલે નવાઈ લાગે પણ સાચી છે. યુરોપિયન હાર્ટ જનરલ અનુસાર, 50 વર્ષની ઉંમર પછી, વધુ મીઠું લેવાથી સ્ત્રીઓનું આયુષ્ય 1.5 વર્ષ અને પુરુષોનું 2.2 વર્ષ ઓછું થઈ શકે છે. મીઠામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને બ્રોમાઇડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, પરંતુ મીઠાનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક પણ હોઈ શકે છે. એવું જરૂરી નથી કે ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરવાથી જ શરીરમાં મીઠાંનું પ્રમાણ વધે છે. બજારમાંથી લાવેલી ચિપ્સ, પિઝા, ટાકોઝ અને નમકીન જેવા પેક્ડ ફૂડ્સમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે શરીરમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. મીઠું માત્ર શારીરિક જ નહીં માનસિક સમસ્યાઓ પણ વધારી શકે છે. આવો જાણીએ વધુ પડતું મીઠું ખાવાથી શરીરને શું નુકસાન થઈ શકે છે.

વધુ પડતું મીઠું ઉંમરમાં થાય છે ઘટાડો
મીઠાંના વધુ પડતા સેવનથી વ્યક્તિની ઉંમર પર ખરાબ અસર પડે છે. જે લોકો વધુ મીઠું ખાય છે તેમનામાં 75 વર્ષની ઉંમર પહેલા મૃત્યુ થવાનું જોખમ 28 ટકા વધારે હોય છે. એટલે કે વધુ પડતું મીઠું ખાવાથી 100માંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.
સ્ટ્રોકનું જોખમ વધારે છે
વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો વધુ પેકેજ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ ખાવા લાગ્યા છે. આ પેકેજ્ડ ફૂડ્સમાં મીઠું વધુ હોય છે, જેના કારણે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

મીઠું પણ બીપી વધારે છે
જે લોકોને બીપીમાં વધઘટ થાય છે, તેમણે મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. ખાસ કરીને હાઈ બીપી ધરાવતા લોકોએ ચોક્કસ માત્રામાં મીઠું લેવું જોઈએ.વધુ મીઠું ખાવાથી હૃદયરોગનો ખતરો વધી જાય છે.
કિડની સમસ્યાઓ
વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં પેશાબ દ્વારા પાણી વધુ પડતું બહાર આવવા લાગે છે, જે કિડની પર વધુ તાણ લાવે છે. ઉંમર વધવાની સાથે કીડની નબળી પડવા લાગે છે અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
READ ALSO:
- રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર
- વિશ્વાસઘાત! અમદાવાદના બુલિયન વેપારીના કર્મચારીએ કરી છેતરપિંડી, 13 કરોડ 50 લાખનું સોનું લઈને અન્ય સાથીદારો સાથે થયો ફરાર
- રામ નવમી 2023: ભગવાન રામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, વાંચો તેમના સ્વર્ગમાં જવાનું રહસ્ય
- શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ