GSTV
Cricket Sports Trending

ક્રિકેટ / વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં આયર્લેન્ડનો કરશે પ્રવાસ, આયર્લેન્ડનું એલાન

ભારત અત્યારે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ રમી રહી છે ત્યારે આ શ્રેણી આગામી વર્લ્ડકપ પહેલા ખૂબ મહત્વની મનાઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઓગસ્ટ માસમાં ટીમ ઈન્ડિયા ટી-20 શ્રેણી માટે આર્યલેન્ડનો પ્રવાસ કરશે. આ અંગેની જાણકારી ક્રિકેટે આપી છે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે આર્યલેન્ડમાં જ ભારતીય ટીમે હાર્દિક પંડ્યાએ આગેવાનીમાં બે મેચોની સીરીઝમાં ટીમની કમાન સંભાળી હતી.

આ વર્ષના અંતમાં જ ઘરઆંગણે વન-ડે વર્લ્ડકપ યોજાવાનો છે જેના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ હાર્દિક પંડ્યાને આર્યલેન્ડ સામે ટી-20 શ્રેણીમાં રમાડીને જોખમ ઉઠાવે છે કે નહીં. વર્લ્ડકપની તૈયારીના પગલે આ શ્રેણીનું કોઈ ખાસ મહત્વ રહેશે નહીં.

ક્રિકેટ આયર્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વોરેન ડ્યુટ્રોમે જણાવ્યું હતું કે, “2023નો ઉનાળો પુરૂષ ક્રિકેટ માટે ઉજવણી સમાન હશે. ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ હશે. અમે આજે પુષ્ટિ કરી શકીએ છીએ કે ભારત સતત બીજા વર્ષે આયર્લેન્ડનો પ્રવાસ કરશે. અમારી ટીમ આ મે મહિનામાં બાંગ્લાદેશ વિરુદ્ધ વર્લ્ડ કપ સુપર લીગ હેઠળ વનડે શ્રેણીમાં ભાગ લેશે.

READ ALSO

Related posts

PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર

Kaushal Pancholi

હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર

Hina Vaja

જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ

pratikshah
GSTV