ભારત અત્યારે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ રમી રહી છે ત્યારે આ શ્રેણી આગામી વર્લ્ડકપ પહેલા ખૂબ મહત્વની મનાઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઓગસ્ટ માસમાં ટીમ ઈન્ડિયા ટી-20 શ્રેણી માટે આર્યલેન્ડનો પ્રવાસ કરશે. આ અંગેની જાણકારી ક્રિકેટે આપી છે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે આર્યલેન્ડમાં જ ભારતીય ટીમે હાર્દિક પંડ્યાએ આગેવાનીમાં બે મેચોની સીરીઝમાં ટીમની કમાન સંભાળી હતી.

આ વર્ષના અંતમાં જ ઘરઆંગણે વન-ડે વર્લ્ડકપ યોજાવાનો છે જેના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ હાર્દિક પંડ્યાને આર્યલેન્ડ સામે ટી-20 શ્રેણીમાં રમાડીને જોખમ ઉઠાવે છે કે નહીં. વર્લ્ડકપની તૈયારીના પગલે આ શ્રેણીનું કોઈ ખાસ મહત્વ રહેશે નહીં.
ક્રિકેટ આયર્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વોરેન ડ્યુટ્રોમે જણાવ્યું હતું કે, “2023નો ઉનાળો પુરૂષ ક્રિકેટ માટે ઉજવણી સમાન હશે. ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ હશે. અમે આજે પુષ્ટિ કરી શકીએ છીએ કે ભારત સતત બીજા વર્ષે આયર્લેન્ડનો પ્રવાસ કરશે. અમારી ટીમ આ મે મહિનામાં બાંગ્લાદેશ વિરુદ્ધ વર્લ્ડ કપ સુપર લીગ હેઠળ વનડે શ્રેણીમાં ભાગ લેશે.
READ ALSO
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર
- માંડવીના દરિયા કિનારે નબીરાઓના ગાડીઓના સ્ટન્ટ, વીડીયો થયો વાયરલ
- જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ
- અલ્લુ અર્જૂનના ફેન્સને મળવા જઈ રહી છે મોટી સરપ્રાઈઝ, આ દિવસે રીલિઝ થવા જઈ રહ્યું છે પુષ્પા 2 નું ટીઝરઃ જોઈ લો પોસ્ટર