ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે, 17 માર્ચે મુંબઈમાં રમાઈ હતી. મેચમાં ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ ઝડપી અને સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 188 રનમાં સમાઈ ગઈ. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અડધી ટીમ 83 રનના સ્કોર પર પરત ફરી હતી. અહીંથી કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ ઈનિંગને સંભાળી અને મેચ પૂરી કરી.

ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વનડે સીરીઝની પહેલી મેચમાં ભારતનો વિજય થયો છે. ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે જીત મેળવીને 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઇન્ડિયાના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વનડેમાં રમી રહ્યો ન હતો. તેના સ્થાને હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ સંભાળી હતી. મેચ દરમિયાન કંઈક એવું થયું, જેને જોઈને વિરાટ કોહલીના ફેન્સ ખૂબ જ નારાજ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
— CricAddaa (@cricadda) March 17, 2023
હાર્દિકે વિરાટ સાથે ખરાબ વર્તન કર્યું હતું
20મી ઓવર પછી વિરાટ કોહલી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ સાથે ઉભો હતો અને કંઈક વાત કરી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ હાર્દિકને કંઈક સમજાવવા માંગતા હતા, પરંતુ તે તેની વાત સાંભળ્યા વિના જ ત્યાંથી નીકળી ગયો હતો. આ જોઈને વિરાટ કોહલી પરેશાન જોવા મળ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે જાણે તે કહી રહ્યો છે કે જા તમારા દિલથી જે ઈચ્છો તે કરો. હાર્દિક પોતાની ધૂનમાં આગળ વધ્યો અને વિરાટ તરફ પાછું વળીને પણ જોયું નહીં.
હાર્દિકે આ પહેલા પણ પોતાની કેપ્ટનશીપ બતાવી હતી
સંજુ સેમસન અને ઉમરાન મલિકને નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. તે સિરીઝમાં પણ હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. મીડિયાના સવાલોના જવાબમાં તેણે કેપ્ટનશિપની ધાક બતાવતા કહ્યું હતું. બહારથી કોણ શું કહે છે તેનાથી આપણા સ્તરે કોઈ ફરક પડતો નથી. આ મારી ટીમ છે, તેથી મને અને કોચને યોગ્ય લાગશે તેમ રમીશું.
READ ALSO
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર