દિલ્હી હાઈકોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમને કોઈ રાહત નથી આપી. કોર્ટે સોમવારે પૂર્વ નાણાં મંત્રીની જામીન અરજી નામંજૂર કરી હતી. આઈએનએક્સ મીડિયા કેસનો સામનો કરી રહેલા પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમ હાલ જેલમાં છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને સીબીઆઈ દ્વારા ચિદંબરમને જામીન આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કોર્ટે તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરી હતી. તિહાડ જેલમાં બંધ ચિદંબરમની જામીન અરજી નામંજૂર થવાના કારણે તેમણે હજુ જેલમાં જ રહેવું પડશે. ગત 21 ઓગષ્ટના રોજ સીબીઆઈએ ચિદંબરમની ધરપકડ કરી હતી.
સીબીઆઈ અને ઈડીએ આઈએનએક્સ મીડિયાની પ્રમોટર ઈંદ્રાણી મુખર્જી અને તેના પતિ પીટર મુખર્જીના નિવેદનોના આધારે ચિદંબરને સકંજામાં લીધા હતા. 2007માં ચિદંબરમ નાણાં મંત્રી હતા તે સમયે તેમણે આઈએનએક્સ મીડિયા ગુ્રપને 305 કરોડ રૂપિયાનું વિદેશી ધન હાંસલ કરવા એફઆઈપીબીની મંજૂરી મેળવવામાં મદદ કરી હતી.
READ ALSO
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત
- નવી ટેક્સ વ્યવસ્થા વિ જૂની / શું તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો? તો તમારા માટે કઈ કર વ્યવસ્થા વધુ સારી છે?
- બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?