ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે અને વાયરસનો નવો વેરિએન્ટ B.1.617.2ને જવાબદાર માનવામાં આવે છે. મનાઇ રહ્યું છે કે આ નવો વેરિએન્ટ ઘણો ખતરનાક અને સંક્રામક છે. જેના કારમે કારણે ભારતમાં બીજી લહેર ઉભી થઇ. જો કે આ વચ્ચે રાહતની વાત એ છે કે આ વેરિએન્ટ પર વેક્સિન અસરદાર છે. પરંતુ તેના વિરૂદ્ધની લડાઇમાં વેક્સિનનો એક ડોઝ પુરતો નથી. આવો એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના વાયરસનો જે વેરિએન્ટ મળ્યો છે તેનાથી બચવા માટે વેક્સિનના બે ડોઝ લેવા ખુબ જરૂરી છે. બ્રિટીશ સરકારની રિસર્ચમાં આ વાત સામે આવી છે. રિસર્ચમાં જણાવાયું છે કે ભારતમાં મળેલા કોરોના વાયરસના વેરિએન્ટથી સુરક્ષા માટે વેક્સિનના બે ડોઝ લેવા જરૂરી છે.

બ્રિટનમાં ભારતમાં મળેલા કોરોના વાયરસના વેરિએન્ટ પર ઘણા લાંબા સમયથી રિસર્ચ ચાલી રહ્યું છે. બ્રિટન સરકારના આ સંસોધનમાં જાણવા મળ્યું કે જે લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા છે તેઓ ભારતીય વેરિએન્ટ B.1.617.2થી સુરક્ષિત છે. જ્યારે કે એક ડોઝ લેનારા લોકો ઓછા સુરક્ષિત છે. વેક્સિનના બે ડોઝ લેનારા લોકો ભારતીય વેરિએન્ટ B.1.617.2 સામે 81 ટકા સુધી સુરક્ષિત થઇ જાય છે. જ્યારે કે યુકેના વેરિએન્ટ B.1.1.7 સામે તેમને 87 ટકા સુધી સુરક્ષા પ્રાપ્ત થાય છે. યુકે વેરિએન્ટ બ્રિટનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. બ્રિટનના પબ્લિક હેલ્થ ડેટા મુજબ વેક્સિનના બે ડોઝ જ લોકોને સૌથી વધારે સુરક્ષા પુરી પાડે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ