વિશ્વભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન એક રાહતના સમાચાર છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ બે વર્ષ પછી વૈશ્વિક COVID-19 કટોકટીનો અંત લાવવા માટેના માપદંડો પર વિચારણા શરૂ કરી દીધી છે. બે વર્ષ પહેલા 11 માર્ચ 2020ના રોજ WHO એ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. તે જ સમયે, જીનીવા સ્થિત એજન્સીએ 30 જાન્યુઆરી 2020 ના રોજ જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી.

જાહેર આરોગ્ય સંકટને સમાપ્ત કરવાની યોજના
એક રિપોર્ટ અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોરોનાની ઈમરજન્સીનો અંત જાહેર કરવા પર વિચાર કરી રહ્યું નથી. પરંતુ તે સંશોધન કરી રહી છે કે સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી સારી સ્થિતિના સંકેતો મળ્યા પછી જ સમાપ્ત થશે.
WHOએ ઈમેલ દ્વારા માહિતી આપી
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર WHOએ એક ઈમેલમાં કહ્યું છે કે ‘કોવિડ-19 પર ઈન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઈમરજન્સી કમિટી ઈન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી (PHEIC)ને ખતમ કરવા માટે જરૂરી માપદંડો જોઈ રહી છે. જોકે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

કોરોના વાયરસ ક્યારેય સમાપ્ત નહીં થાય
નોંધપાત્ર વાત એ છે કે ગયા મહિને ડબ્લ્યુએચઓ ઈમરજન્સી સિચ્યુએશનના વડાએ કહ્યું હતું કે જો રસીકરણનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો આ વર્ષે કોરોના મહામારીના કારણે મૃત્યુ અને લોકડાઉન સમાપ્ત થઈ શકે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આયોજિત વેક્સીન ઇક્વિટી પર પેનલ ચર્ચા દરમિયાન બોલતા, માઇકલ રેયાને કહ્યું કે ‘આપણે ક્યારેય વાયરસને ખતમ કરી શકતા નથી, કારણ કે આવા રોગચાળાના વાયરસ ઇકોસિસ્ટમનો ભાગ બની જાય છે’.
READ ALSO:
- Cristiano Ronaldo hat-trick: રોનાલ્ડોએ ટોટનહામ સામે અદભૂત હેટ્રિક સાથે ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાનો ઓલ-ટાઇમ તોડ્યો રેકોર્ડ
- બોડીમાં ખરાબ કોલેસ્ટ્રોલને એકત્ર થવા દેતા નથી આ ફળ, આજે જ કરો તમારી ડાઈટમાં સામેલ
- વાઇરલ વીડિયો/ ઈન્ડો- તિબેટિયન સરહદ પર માઇન્સ ડિગ્રીમાં ITBP ના જવાનોનો કબડ્ડી રમતો વીડિયો થયો વાઇરલ
- નરાધમોએ નોંચી ખાધી માસૂમ બાળાને! ધોળકા જીલ્લામાં 15 વર્ષીય સગીરા પર આઠ વાસના ભૂખ્યા વરૂઓ તૂટી પડ્યા
- 7th Pay Commission/ કેન્દ્રીય કર્મચારીઓને મળી હોળીને ભેટ! થયો 8,000 રૂપિયાનો પગાર વધારો