GSTV
Trending ગુજરાત

રાહતની વાત! 6 મહિના બાદ સંક્રમણના સૌથી ઓછા નોંધાયા 10 કેસ, ૩૩ જિલ્લામાં એકપણ નવો કેસ નહીં

કોરોના

ગુજરાતમાં કોરોના હવે સંપૂર્ણપણે કન્ટ્રોલમાં આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૧૦ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૬ મહિનામાં રાજ્યમાં નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકમાત્ર મૃત્યુ ગાંધીનગરમાં નોંધાયું છે.

ઓમિક્રોન

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૬, વડોદરામાંથી ૩ જ્યારે સુરતમાંથી ૧ નવો કેસ સામે આવ્યો હતો. આમ, ૩૩ જિલ્લામાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૧૨,૨૩,૭૯૦ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦૯૪૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧૨,૧૨,૫૪૦ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૯.૦૮% છે.

કોરોના

રાજ્યમાં હાલ ૩૦૮ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. નવસારી, અમરેલી, આણંદ, ભરૃચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, પોરબંદર, સુરેન્દ્રનગર એમ ૧૫ જિલ્લા હવે કોરોના મુક્ત છે. અમદાવાદમાં સૌથી વધુ ૬૨ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

READ ALSO

Related posts

તિજોરી છલકાશે/ ગુજરાત વિદ્યાપીઠના નવા મેનેજમેન્ટને માત્ર ફી માં રસ, ફીમાં તોતિંગ વધારાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ

pratikshah

IMF ચીફની ચેતવણી, સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી રોજગારી પર ખતરાને લઈને બનાવી પોલિસી

Hina Vaja

લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

Drashti Joshi
GSTV