પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર સરહદે છાશવારે યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોના જાન-માલ પર હંમેશા જોખમ તોળાયેલું રહે છે. ત્યારે રાજૌરી જિલ્લાના સરહદી ગામોમાં સેના અને સરકાર દ્વારા બંકર નિર્માણ કરવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસને કારણે ઉભી થયેલી મહામારીની પરિસ્થિતિમાં દેશભરમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું હતું. જેને કારણે બંકર નિર્માણનું કાર્ય બંધ થઇ ગયું હતુ. પરંતુ, માંજાકોટ સેક્ટરમાં પીડબલ્યૂડી વિભાગે આ બંકરનું નિર્માણ ફરી શરૂ કરી દીધુ છે.

જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં 125 જેટલા નવા બંકર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં કોમ્યુનિટી અને વ્યક્તિગત બંકર સામેલ છે. આરસીસી કોન્ક્રિટથી બની રહેલા આ બંકર બુલેટ પ્રુફ છે. જેથી પાકિસ્તાનના ફાયરિંગ અને મોર્ટાર મારાની તેના પર કોઇ અસર ન થાય.
પાકિસ્તાન દ્વારા જ્યારે ભારે મોર્ટાર મારો કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારના લોકોને પોતાના ઘરબાર છોડીને હિજરત કરવાની ફરજ પડે છે. પરંતુ, જો બંકરનું નિર્માણ થઇ જાય તો તેઓ ફાયરિંગ સમયે બંકરમાં છુપાઇને પોતાના જીવ બચાવી શકે છે.
- ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ
- મહાભારતના યુદ્ધમાં વપરાયેલા દૈવી શસ્ત્રો, તેમાંથી એક બ્રહ્મશિરાને લીધે અશ્વત્થામા હજુ પણ ભટકી રહ્યા છે!
- ઉનાળામાં ઘરે બનાવો મેંગો જામ, સ્ટોર કરી આખું વર્ષ તેનો આનંદ લો
- Gufi Paintal Death/ 10 ફિલ્મો અને 16 સિરિયલ્સમાં કર્યું કામ, મહાભારતમાં શકુની બનીને ઉભી કરી ઓળખ
- wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર