‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ બતાવીને ભાજપ સરકાર કાશ્મીરી પંડિતોની હિતૈશી હોવાનો અભિનય કરી રહી છે, હકીકત સાવ જૂદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આઠ વર્ષના કાર્યકાળમાં એક પણ કાશ્મીરી પંડિતનું પુર્નવસન કર્યું નથી. તેની સામે મનમોહન સરકારે કાશ્મીરી પંડિત યુવાનોને નોકરી પણ અપાવી અને જમ્મુમાં તેમના માટે પાકા મકાન પણ બનાવ્યા.

આ જ બાબતમાં કૉન્ગ્રેસના નેતા દિપેન્દ્ર હુડ્ડાએ એક નવી વાત કરી હતી. તેમણે રાજ્યસભામાં કહ્યું કે, ‘હરિયાણાની હુડ્ડા સરકારે કાશ્મીરી પંડિત પરિવારો માટે પેન્શનની શરૂઆત કરી હતી. 2014 સુધીમાં આ પેન્શનની રકમ વધારીને પ્રતિમાસ રૂપિયા પાંચ હજાર કરી નાખવામાં આવી. જેવી હરિયાણામાં બીજેપીની સરકાર બની કે તુરંત જ તેમણે કાશ્મીરી પંડિતોનું પેન્શન બંધ કરી દીધું. અમારી માગણી છે કે કાશ્મીરી પંડિતોનું પેન્શન ફરીથી શરૂ કરવામાં આવે અને કાશ્મીરમાં જમીન અધિગ્રહિત કરી તેમના માટે ટાઉનશીપ બનાવવામાં આવે.’ તાજેતરમાં શરદ પવારે પણ કહ્યું કે ભાજપ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના માધ્યમથી નફરત ફેલાવી રહી છે.
Read Also
- Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર
- પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ
- શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય