રાજસ્થાનના ઉદયપુરમાં શુક્રવારથી શરૂ થયેલી કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પહેલા દિવસે સોનિયા ગાંધીએ કરેલા સંબોધને કોંગ્રેસીઓને નિરાશ કરી દીધા છે. કોંગ્રેસીઓના મતે, કોંગ્રેસને અત્યારે આકરા મનોમંથનની જરૂર છે ત્યારે સોનિયાએ ભાજપ પર દોષારોપણ કરીને પલાયનવાદ બતાવ્યો છે.

સોનિયાએ કોંગ્રેસની નબળાઈઓની વાત કરવાના બદલે કોંગ્રેસની ખરાબ હાલત માટે ભાજપ જવાબદાર હોય એવું ચિત્ર ઉભું કરવાનો પ્રયત્ન કર્યો. સોનિયાએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના નેતાઓને એવી પણ અપીલ કરી કે, પક્ષે તેમને બધું જ આપ્યું છે અને હવે તેનું કર્ઝ ચૂકવવાનો સમય છે. આ કર્ઝ ચૂકવવા માટે કોંગ્રેસ શું કરશે કે પોતે શું કરશે તેનો કોઈ ઉલ્લેખ ના કર્યો.
જો કે કોંગ્રેસીઓને સૌથી વધારે નિરાશા સોનિયાએ ભાજપને લઘુમતી વિરોધી ગણાવ્યો તેના કારણે થઈ છે. કોંગ્રેસીઓના મતે, ભાજપને લઘુમતી એટલે કે મુસ્લિમ વિરોધી ગણાવીને સોનિયા કોંગ્રેસને નહીં પણ ભાજપને મદદ કરી રહ્યાં છે. કોંગ્રેસ પર મુસ્લિમ પાર્ટીનો સિક્કો વાગ્યો તેના કારણે ભાજપને ફાયદો થયો છે એ વાત સમજવા જ સોનિયા તૈયાર નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ITBP દ્વારા હેડ કોન્સ્ટેબલ (મિડવાઈફ) ની જગ્યા માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી, 81 જગ્યાઓ માટે 8મી જુલાઈ અરજીની છેલ્લી તારીખ
- ગુજરાત ATSની કાર્યવાહી / જાણો ગુપ્ત ઓપરેશનમાં પકડાયેલી મહિલાના ઘરેથી શું મળ્યું?, 4એ શખ્સો દરિયાઈ માર્ગે રફુચક્કર થાય એ પહેલા જ ઝડપાયા
- કર્ણાટકના હમ્પી શહેર જાવ તો લોટસ મહેલની મુલાકાત જરૂર લો, ટ્રેઝરી બિલ્ડિંગ, જલ મંડપ અને વૉચ ટાવર જેવી રસપ્રદ રચનાઓ ધરાવે છે
- 22 વર્ષીય યુવતી સાથે જાત છુપાવી શાહરૂખ નામના વ્યક્તિએ મિત્રતા કેળવી, છોકરીએ સંબંધ તોડતાં અશ્લિલ વીડિયો થકી બ્લેકમેઈલ કરવા લાગ્યોઃ પોલીસે ઝડપી લીધો
- WTC ફાઈનલ: Ajinkya Rahaneએ આંગળીની ઈજા પર આપ્યું મોટું અપડેટ, આ નિવેદનથી જીત્યા કરોડો ચાહકોના દિલ