કોંગ્રેસ નેતા પી. ચિદંબરમે દેશના આર્મી ચીફ બિપિન રાઉતને કહ્યું કે. તેમણે નેતાઓને સલાહ આપવી જોઈએ નહી, તેઓ સેનાના જનરલ છે અને તેમણે પોતાના કામથી કામ રાખવું જોઈએ. DGP અને આર્મી જનરલોને સરકારને સપોર્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, આ શરમની વાત છે.

કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસના અવસરે તિરુવનંતપુરમમાં એક રેલીમાં પી. ચિદંબરમે કહ્યું, DGP, આર્મી જનરલોને સરકારને સપોર્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, આ શર્મનાક છે, મારે જનરલ રાઉતને અપીલ કરવી છે કે, તમે આર્મી ચીફ છો અને તમારા કામથી કામ રાખો. જે નેતાઓએ કરવાનું છે તે નેતાઓ જ કરશે. આ આર્મીનું કામ નથી કે તેઓ નેતાઓને કહે કે અમારે શું કરવું જોઈએ. જેમ કે તે અમારું કામ નથી કે અમે તમને જણાવીએ કે યુદ્ધ કેવી રીતે લડવામાં આવે? જો તમે યુદ્ધ લડી રહ્યાં હોય તો અમે તમને નથી કહેતા કે, યુદ્ધ કેવી રીતે લડો. તમે યુદ્ધ તમારા મગજથી લડો છો. આ દેશમાં રાજનીતિ અમે ચલાવીશું.

નોંધનીય છે કે, નાગરિકતા બીલના વિરોધમાં દેશમાં ચાલી રહેલા પ્રદર્શનો પર આર્મી ચીફ જનરલ બિપિન રાઉતે કહ્યું હતું કે, નેતા તે નથી જે લોકોને ખોટી દિશામાં લઈ જાય, જેવું કે આપણે જોઈએ છીએ કે મોટી સંખ્યામાં યૂનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવી રહ્યાં છે. જ્યાં બાદમાં આગચંપી અને હિંસા થઈ, આ નેતૃત્વ નથી.
READ ALSO
- IRCTS કંપનીએ ત્રણ મહીનામાં રૂ. 278.79 કરોડની કરી કમાણી, 100 ટકા અંતિમ ડિવિડન્ડની જાહેરાત
- Torrent Pharma Q4 results / ચોથા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માનો ચોખ્ખો નફો 287 કરોડ થયો, 160 ટકાના ડિવિડન્ડની કરી જાહેરાત
- VIDEO: અમેરિકાના પ્લેનની સામે આવ્યું ચીનનું ફાઈટર જેટ, કોકપિટના કેમેરામાંથી રેકોર્ડ થયો સનસનાટી મચાવનારો વીડિયો
- મહારાષ્ટ્રમાં હવે આ જિલ્લાનું નામ પણ બદલાશે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
- આર્થિક વિકાસમાં ભારતે ચીનને પણ પછાડયું, માર્ચના ત્રિમાસિક ગાળામાં GDP વધીને 6.1 ટકા થયો