બનાસકાંઠાના વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં સામેલ થયા છે. તેઓ મગરવાડા ખાતે વિશ્વાસ સંમેલન દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. બનાસકાંઠાના વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાય તે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. તેઓએ નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ગત ટર્મમા વડગામ વિધાનસભામાં મણિલાલની ટિકિટ કાપીને જીગ્નેશ મેવાણીને પ્રમોટ કરવામાં આવ્યા હતા. જો મણિલાલ વાઘેલા ભાજપમાં સામેલ થાય તો જીગ્નેશ મેવાણીને નુકશાન થઈ શકે છે.

વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ ગત વર્ષે નવેમ્બર મહિનામા રાજીનામું આપ્યું હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને ટેકો અપાતા નારાજ થયા હતા. પક્ષના આ નિર્ણયથી તેઓ છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા.
દરમિયાન તેમણે પ્રદેશ પ્રમુખને પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. પૂર્વ ધારાસભ્યએ પક્ષમાં પોતાની થઈ રહેલી અવગણનાથી નારાજ થઈને કોંગ્રેસને બાય બાય કરતા રાજકીય ક્ષેત્રમાં ગરમાવો આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ
- નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ
- મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી ભાજપ પર હાવી, રાઠોડ સામે ચિત્રાને વાંધો
- 70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 54 વર્ષ પછી ઘરના આંગણામાં ખુશીઓ છલકાઈઃ 75 વર્ષે બન્યા બાપ બન્યાનો આનંદ