પૂર્વ મંત્રીઓને ચાલુ શૈક્ષણિક સત્ર સુધી 4 હજાર 800ના મામૂલી ભાડે સરકારી આવાસ ફાળવવામાં આવ્યા. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સીએમને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું કે મંત્રીઓનાં સંતાનોનો અભ્યાસ બગડે નહિ તે માટે શૈક્ષણિક સત્ર સુધી બંગલા ભાડે આપવામાં આવ્યા છે તો પૂર્વ મંત્રીઓનાં બાળકો કયા સ્કૂલ અથવા કોલેજમાં અભ્યાસ કરે છે તેની માહિતી જાહેર કરો.

સરકારી કર્મચારીઓને આવાસ મળતા નથી ત્યારે પૂર્વ મંત્રીઓને આવાસ આપવા કેટલા યોગ્ય છે. ૧૫ પૂર્વ મંત્રીઓને લક્ઝુરિયસ ગણાતા ક અને ખ કક્ષાનાં બંગલા આપવામાં આવ્યા છે. માર્કેટ મુજબ સરકારે ભાડું ૪૨ હજારનું ભાડુ નક્કી કર્યું છે પણ પૂર્વ મંત્રીઓને માત્ર 4 હજાર 800 રૂપિયાના ભાડેથી મકાન ફાળવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત