પ્રજાસત્તાક દિવસની ખેડૂત પરેડ પછી ગુમ થયેલા પંજાબના ખેડુતોની મદદ માટે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દ્ર સિંહે હેલ્પલાઇન અને દિલ્હીમાં વકીલોની વ્યવસ્થા કરી હતી. સંયુક્ત કિસાન મોરચા અનુસાર ટ્રેકટર પરેડના દિવસથી તેમના એક સો સભ્યો લાપતા હતા. મફતમાં આ લોકોને કાનુની સહાય મળી રહે એ માટે પંજાબના એડવોકેટ જનરલે ૭૦ વકીલોની ફોજ તૈયાર કરી હતી.

‘જે લોકો લાપતા થયા છે, તેમને શોધવા અમે બનતા તમામ પ્રયાસો કરીશું. અમે તેમની વિગતો ભેગી કરી રહ્યા છીએ અને તેઓ પોતાના ઘરે જાય તેની પુરેપુરી ખાતરી કરીશું’ એમ વિવિઘ ગામોની સરપંચોની બેઠકમાં કેપ્ટને કહ્યું હતું. દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ૮૯ લોકોની ધરપકડ કરી હતી.

ખેડૂત આંદોલનમાં થયેલી હિંસામાં ખેડૂતોની ભૂમિકાની દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તપાસ શરૂ કરી હતી.ફેબુ્રઆરી ૨૦૨૦માં ઉત્તર દિલ્હીમાં થયેલા તોફાનો પછી જે રીતે પોલીસે તપાસ શરૂ કરી હતી તે રીતે જ એટલે કે હિંસા અને સંજોગાની પણ તપાસ કરાશે.ક્રાઇમ શાખાના પોલીસ કમિશનરો જોય તિર્કી અને પ્રમોદ કુશવાહાને આ જવાબદારી સોંપાઇ હતી.

મંગળવારની હિંસા અને દિલ્હીના તોફાનો બંનેમાં દેશ દ્રોહ જેવી કલમો વગાડવામાં આવી હતી. ઉપરાંક અનલોફુલ એકેટિવિટીઝ પ્રિવેનશ એકેટ હેઠળ કેસો કરાયા હતા. દિલ્હીના તોફાનોમાં સીએએના વિરોધીઓ પર કોરડા વિઝાયો હતો. જે લોકો વિરોધનું નેતૃત્વ કરી રહ્યા હતા તેમની સામે વિવિધ કલમો હેઠળ કેસ કર્યા હતા. દિલ્હીના તોફાનોમાં પોલીસે ડિસેમ્બર ૨૦૧૯ને જોડીને તેમની સામે કેસ નોંધ્યા હતા. ખેડૂતો સામે જે કેસ કરાયા છે તેમાં ખેડૂત આગેવાનો જેવા કે દર્શન લાલ, રાકેશ ટિકૈત અને પંજાબી અભિનેતા દીપ સિધ્ધુ સામે કેસ કરાયા હતા.
READ ALSO
- વલસાડના ઉમરગામ હાલ ભૂમાફિયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો, ભૂમાફિયાઓ ખુલ્લેઆમ સરકારી કચેરીઓમાં શેકી રહ્યા છે પોતાનો રોટલો
- પ્રાણીઓનું પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન: પ્રાણીની સંખ્યામાં નોંધાયો વધારો
- અમદાવાદ / વધુ એક બ્રિજ અંગે મહત્વના સમાચાર, રિપેરિંગ કામને લઈ ભારે વાહનો પર 2 મહિના સુધી પ્રતિબંધ
- કૃતિથી લઈને શિલ્પા શેટ્ટી સુધી, આ એકટર્સની પબ્લિક કિસથી સર્જાયો વિવાદ
- હીરોએ ચૂપચાપ લોન્ચ કરી બાઇક, હવે તેનું પોતાનું સ્પ્લેન્ડર જોખમમાં, કિંમત માત્ર આટલી, માઇલેજ 65 KMPL કરતાં વધુ