પ્રેસ કોન્ફરન્સ દરમયાન મિડિયાએ ભારત અને ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆનને 6 પ્રશ્નો પુછવામાં આવ્યાં હતાં. પણ આમાંથી એક પણ પ્રશ્નનો સીધો જવાબ આપ્યો ન હતો. તે માત્ર એક જ વાત કરતો રહ્યો કે આ વિવાદ વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે હલ થશે. તેમણે આ અથડામણમાં કેટલા ચીની સૈનિકો માર્યા ગયા તેની માહિતી પણ આપી નથી.

વિવાદ વાતચીત દ્વારા શાંતિપૂર્ણ હલ લાવશે
ઝાઓએ મિડિયાના ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા નહીં. એક પત્રકારે સવાલ ઉઠાવ્યો કે શું ચીન ભારત-ચીન સરહદ પર તેના પ્રવાહને રોકવા માટે ગલવાન નદી પર ડેમ બનાવી રહ્યું છે. ઝાઓએ આ સવાલનો જવાબ આપ્યો નહીં. આ સિવાય જ્યારે ગલવાન ખીણમાં અથડામણનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે ઝાઓએ આ માટે ભારતીય પક્ષને દોષી ઠેરવતા કહ્યું કે તેમાં તેનો કોઈ હાથ નથી.
Border situation is overall stable&controllable. We believe that under guidance of consensus reached by leaders of 2 countries, 2 sides can properly handle the situation, jointly safeguard peace& stability along the border&promote healthy & stable bilateral relations: Zhao Lijian https://t.co/SyoMXsqP96
— ANI (@ANI) June 18, 2020
ભારતીય સૈનિકોએ બંને પક્ષોના કરારને તોડ્યાં હોવાનો કર્યો આક્ષેપ
વાતચીત દરમિયાન ઝાઓએ ફરીથી ભારત પર એલએસી પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણનો આરોપ લગાવ્યો હતો. તેમણે ગાલવાન ખીણમાં હિંસક અથડામણ વિશે કહ્યું – ચીને વારંવાર કહ્યું છે કે આ ઘટના એટલા માટે થઇ છે કારણ કે ભારતીય સૈનિકોએ બંને પક્ષો વચ્ચેના કરારને તોડ્યો છે.
- વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે
- Cost Cutting Drive: Google નું ખર્ચ ઘટાડો અભિયાન, છટણી બાદ કર્મચારીઓને મળતાં ભથ્થા પર ફેરવાશે કાતર