કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મેરઠની એક હોસ્પિટલમાં દાખલ ભીમ આર્મીનાં નેતા ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધી સાથે યુપી પશ્ચિમનાં પ્રભારી અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધીયા પણ હાજર રહ્યા હતાં. આ સાથે જ રાજકિય અટકળો તેજ થઈ રહિ છે કે, શું ચંદ્રશેખર કોંગ્રેસમાં સામેલ થશે કે પછી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે. કારણ કે તેમણે આજે ચંદ્રશેખરે એલાન કર્યુ હતું કે તે આગામી લોકસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે લડશે.
Meerut: Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra meets Bhim Army chief Chandrashekhar who is undergoing treatment at a hospital. pic.twitter.com/e4QPUJolzW
— ANI UP (@ANINewsUP) March 13, 2019
ચંદ્રશેખર સાથે મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા જણાંવ્યું કે,આ અહંકારી સરકાર છે જે યુવાનોની અવાજ દાબી દેવા માંગે છે. આ યુવાનો છે, સરકારે રોજગારી આપી નહિ. તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. આ સરકાર નવયુવાનોની અવાજ દબાવવા માંગે છે. અહિં આવવા પાછળ કોઈ રાજકિય ઇરાદો નથી.
પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, મારી બહેન પ્રિયંકા ગાંધી મને મળવા આવ્યા હતાં. તેમણે મારા ખબર-અંતર પુછ્યા હતાં. હું બહુજન સમાજમાં પેદા થયો છું અને બહુજન સમાજ મા જ મરીશ. પ્રધાનમંત્રી મોદી જ્યાંથી ચૂંટણી લડશે ત્યાંથી હું લડીશ. અમે મોદીજીને હરાવીશું, તેમને પરત ગુજરાત મોકલીશું. હું ગઠબંધનને સમર્થ આપું છું.
Congress Gen Secy for UP (East) Priyanka Gandhi Vadra on meeting Bhim Army chief Chandrashekhar in Meerut: He is a young man who is struggling & raising his voice, but this govt is trying to suppress his voice. I am here because I like his energy&the way he raises voice for youth pic.twitter.com/Sykprk3MRy
— ANI UP (@ANINewsUP) March 13, 2019
ભીમ આર્મીનાં અધ્યક્ષ ચંદ્રશેખરે જણાંવ્યું હતું કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રક મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે. તેઓ પહેલા પોતાનાં સંગઠનમાંથી મજબૂત ઉમેદવાર ઉભો રાખશે. જો ઉમેદવાર નહિ મળે તો ચંદ્રશેખર ખુદ મોદી સામે ઉમેદવારી કરશે.આગામી 15 માર્ચે દિલ્હીમાં બહુજન હુંકાર રેલી નિકળશે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે.
મહત્વનું છે કે ગત મંગળવારે પોલીસે ભીમ આર્મીનાં પ્રમુખ ચંદ્રશેખરની દેવબંદથી ધરપકડ કરી હતી. ચંદ્રશેખર પર આરોપ છે કે તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો છે.ત્યારબાદ તેમની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યારે આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધીયાએ હોસ્પિટલમાં ચંદ્રશેખરનાં ખબર-અંતર પુછવા આવ્યા હતાં.
READ ALSO
- થિયેટરોમાં માત્ર એક જ ફિલ્મની બોલબાલા, ધાકડ પછી આયુષ્માન ખુરાની અનેક પણ ખરાબ રીતે પીટાઈ
- GT vs RR/ IPLના ફાઇનલમાં અત્યાર સુધી નથી હાર્યો આ ખેલાડી, રાજસ્થાન માટે સાબિત થશે સૌથી મોટો ખતરો
- Investment Tips: IPOમાં પૈસાનું રોકાણ કરતી વખતે ભૂલીને પણ ન કરો આ 5 ભૂલો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
- આત્મનિર્ભર ભારત બનાવવા પહેલા ખેડૂતને સ્વનિર્ભર બનાવવો પડે, ભાજપ સરકાર ખેડૂતને જરાય તકલીફ પડવા દેશે નહિ
- IPL 2022/ આ સિઝનમાં સુપર ફ્લોપ રહ્યા ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર ખેલાડી, રમતમાં ખુબ ખરાબ રીતે કર્યા નિરાશ