GSTV
India News ટોપ સ્ટોરી

BIG BREAKING: કોરોના મૃતકના પરીવારજનોને મળશે 50 હજારની સહાયતા, કેન્દ્ર સરકારે SCમાં આપ્યો જવાબ

અમિત

દેશમાં કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક હતી. આ લહેરમાં સંખ્યા બંધ લોકો એ પોતાના જીવ ગુમાવ્યા હતા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક જવાબમાં મોટું નિવેદન આપ્યું છે કે જેટલા પણ લોકોની મોત કોરોના વાયરસથી થઈ છે તે તમામના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયતા કરવામાં આવશે. સહાયતાની આ રકમ રાજ્ય પોતાના ડિઝાસ્ટર રીલીફ ફંડથી પીડિતોના પરિજનોને આપશે. કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી એટલે કે NDRF સંસ્થાે આજે સુપ્રીમ કોર્ટમાંસોગંદનામું દાખલ કરીને કોરોના સંબધિત મૃત્યુ પર વળતરની રકમ અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.

કોરોના

કોરોનાને કારણે જીવ ગુમાવનારના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે.

આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરવામાં આવી હતી કે કોરોનાને કારણે જીવ ગુમાવનારના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. નિયમ મુજબ, કુદરતી આફતને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવે છે. પરંતુ, જે પ્રમાણમાં કોરોનાને કારણે લોકોના મૃત્યુ થયા છે ત્યાર બાદ કેન્દ્ર સરકારે વળતર આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

ઝીકા

સુપ્રીમ કોર્ટનું દબાણ

કેન્દ્રએ કહ્યું હતું કે આટલા પૈસાનું વળતર આપવાથી સરકારને મોટું નુકશાન થશે. પરંતુ સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આજે એનડીઆરએફને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોનાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે.

READ ALSO

Related posts

જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ

Rajat Sultan

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan

તેલંગાણા / રેવંત રેડ્ડીએ સીએમ તરીકે શપથ લીધાના થોડા કલાકોમાં જ ચૂંટણી વચન કર્યું પૂર્ણ

Rajat Sultan
GSTV