GSTV
News ટોપ સ્ટોરી

23000 કરોડનું કૌભાંડ / CBIની એજીબી શિપયાર્ડના ડિરેક્ટરો વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ

એજીબી શિપયાર્ડ નામની કંપનીએ બેન્કોની 22,842 હજારની લોનનું કૌભાંડ કર્યું છે. સીબીઆઈએ આ અંગે કેસ નોંધીને તપાસ આદરી છે. હવે સીબીઆઈએ એજીબી શિપયાર્ડના ડિરેક્ટરો સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. આ કંપની મુખ્યત્વે ગુજરાતમાં તેનો બિઝનેસ કરે છે. માટે કંપનીના કૌભાંડ પાછળ ગુજરાત સરકારની ઢીલી નીતિ પણ જવાબદાર ગણાવાઈ રહી છે. એજીબી શિપયાર્ડનું આ કૌભાંડ દેશના બેન્કિંગ ઈતિહાસનું સૌથી મોટુ કૌભાંડ ગણાય છે. CBI એ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રિશિ કમલેશ અગ્રવાલ, ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર, રવિ વિમલ વગેરે સામે નોટિસ જારી કરી છે. આ બધા સામે સીબીઆઈએ નાણાકીય ગેરરીતી, છેતરપિંડી, વિશ્વાસભંગ, વગેરે કેસ નોંધ્યા છે.

CBIના દાવા મુજબ કંપનીએ આડી-અવળી રીતો વાપરીને ફંડ સિંગાપોર અને અન્ય સ્થળોએ ડાઈવર્ટ કરી દીધું હતું. 2019માં એસબીઆઈએ એ અંગેની ફરિયાદ નોંઘાવી હતી. હવે સીબીઆઈએ એ ફરિયાદ ધ્યાને લઈને તપાસ આદરી છે. સીબીઆઈએ શા માટે આટલો સમય લગાડ્યો એ વળી એ અલગ રહસ્ય છે.

CBI એ એબીજી શિપયાર્ડ અને તેના ડાયરેક્ટર્સ પર આરોપ લગાવ્યો છે કે તેમણે કથિત રીતે 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)નું કહેવું છે કે એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટર ઋષિ અગ્રવાલ, સંથનમ મુથુસ્વામી અને અશ્વિની અગ્રવાલે બેંકો સાથે 22,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. એબીજી શિપયાર્ડ અને તેની ફ્લેગશિપ કંપની જહાજોના નિર્માણ અને સમારકામના વ્યવસાયમાં છે.

આ શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સુરત ખાતે આવેલા છે. એસબીઆઈની ફરિયાદ મુજબ કંપનીએ તેની પાસેથી 2,925 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જ્યારે આઇસીઆઇસીઆઇ પાસેથી 7089 કરોડ, આઇડીબીઆઇના 3634 કરોડ, બેન્ક ઓફ બરોડાના 1614 કરોડ, પીએનબીના 1244 કરોડ અને આઇઓબીના 1228 કરોડ રૂપિયા બાકી છે. આ આરોપીઓ ભારત છોડીને ભાગી ન જાય એટલા માટે હવે સીબીઆઈએ સક્રિયતા દાખવી છે. લૂક આઉટ નોટિસ હોવાથી એરપોર્ટ પર આ આરોપીઓ અંગેની વિગતો હશે. એટલે એરપોર્ટ અધિકારીઓ તેમને રોકી શકશે.

Read Also

Related posts

અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન

Nakulsinh Gohil

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

Hardik Hingu

નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

GSTV Web News Desk
GSTV