GSTV
India News Trending

દેશના આ ઉદ્યોગપતિઓને ગુરૂવારે ઇડીની ઓફિસે હાજર થવા ફરમાન

ઉદ્યોગપતિ

ઇડીએ મની લોન્ડ્રિંગ મામલે અનિલ અંબાણી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી સહિત એસ્સેલ જૂથના સુભાષ ચંદ્રા, જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ, ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવનને સમન ઇસ્યૂ કર્યું છે. આ તમામ લોકોને ગુરૂવારે ઇડીની મુંબઇ ઓફિસે હાજર થવા જણાવાયું છે.

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરે આ જૂથોને લોન આપી હતી

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરે આ જૂથોને લોન આપી હતી. જે બાદમાં બેડ લોન કે એનપીએમાં કન્વર્ટ થઇ ગઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે અનિલ અંબાણીએ અમુક વ્યક્તિગત કારણોથી હાજર થવાની છૂટ માંગી હતી. જે બાદ અંબાણીને ઇડી તરફથી નવું સમન ઇસ્યૂ કરીને નવી તારીખ આપી દીધી. અનિલ અંબાણીની કંપનીઓ દ્વારા યસ બેંક પાસેથી લેવામાં આવેલી લોનમાં 12 હજાર 800 કરોડ રૂપિયાની રકમ એનપીએ થઇ ગઇ છે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV