બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આગામી છઠ્ઠી એપ્રિલે હનુમાન જ્યંતી નિમિત્તે હનુમાન ચાલીસાનું સામુહિક અભિયાન આયોજિત કરવામાં આવ્યું છે. હનુમાનજીની પંચધાતુની 54 ફુટની વિરાટ કાય મૂર્તિનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અનાવરણ કરવામાં આવશે તેમજ ભોજનાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

સાળંગપુરમાં 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની મૂર્તિ મુકવાને લઈને હાલમાં ખુબ જ ભક્તિમય માહોલ બન્યો છે. આ મૂર્તિનું અનાવરણ થયા બાદ ભકતો સાત કિલોમીટર દુરથી દાદાની મૂર્તિના દર્શન કરી શકશે, જેને લઈને ભકતોના હૃદયમાં ખુબજ આનંદ અને ભાવ પ્રગટી રહ્યો છે.

ભવ્ય મહેલ જેવું સાળંગપુરનું નવું ભોજનાલય 7 વીઘા જમીન પર અંદાજે 40 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે.આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો