રાજકોટમાં ફરી એક વાર, લોકોના મુદ્દા હાર્યા છે અને બુથ નેટવર્ક જીત્યું છે. ૭૨માંથી ૬૮ બેઠક એ ભાજપનો પ્રચંડ વિજય છે પરંતુ, એ ગાણિતીક કડવી સચ્ચાઈ પણ છે કે ભવ્ય જીત મેળવનાર ભાજપને શહેરના મતાધિકાર ધરાવતા ૭૬ ટકા નાગરિકોએ તેમનો મત આપ્યો જ નથી!


ભાજપ, કોંગ્રેસ અને આપને મળ્યાં આટલા મત
ભાજપને કૂલ ૧૦,૬૨,૭૨૫ મતો, કોંગ્રેસને ૪,૯૭,૦૯૪ મતો અને ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીને ૩,૪૨,૪૪૬ મતો મળ્યા છે. એક મતદારને ચાર મત આપવાનો અધિકાર છે અને તેથી આ મતોને ચારે ભાંગતા ભાજપને ૨.૬૫ લાખ, કોંગ્રેસને ૧.૨૪ લાખ, આપને ૮૫ હજાર અંદાજે મતો મળ્યા છે. જેની સામે કૂલ ૧૦.૯૩ લાખ લોકોને ૪૩.૭૨ લાખ મતો આપવાનો અધિકાર હતો અને તેમાં ૫.૫૫ લાખ મતદારોએ એક સાથે ચાર મતો આપ્યાનું ગણતા આશરે ૨૨.૨૨ લાખ મતો આપ્યા છે.

લોકશાહીની આ કમનસીબી કહો કે ખાસિયત કહો પણ બહુમતિ લોકો શુ ઈચ્છે છે (દા.ત.સસ્તા પેટ્રોલ ડીઝલ, સસ્તુ સિંગતેલ,શિક્ષણ) તે ગૌણ બની જાય છે પરંતુ, ચૂંટણી ટાણે ચોથા ભાગના મતદારોના મતો જે ખેંચી જાય છે તે વિજયમાળા પહેરીને ૨૫ ટકા પર નહીં પણ ૧૦૦ ટકા મતદારો પર રાજ કરે છે.
Read Also
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
