રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન અશોક ગહલોતે નવા જિલ્લાની ઘોષણા કરીને ચૂંટણી પહેલાં જ ભાજપને ક્લીન બોલ્ડ કરી નાખી છે. નવા જિલ્લાની જાહેરાતથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને રાજકીય લાભ મળવાની શક્યતા છે. ગહલોતે સીકરને સંભાગ બનાવીને જાટલેંડને સાધવાનો પ્રયાસ કર્યો છે. તો જોધપુરના ફલૌદી અને ગંગાપુર સિટી અને અલવરના ખૈરથલને જિલ્લો બનાવવાની સાથે જ જયપુરના શાહપુરા અને કોટપૂતલીને નવા જિલ્લા બનાવાની જાહેરાત કરી કોંગ્રેસે આ સીટ પર જીત નિશ્ચિત કરી છે. વિધાનસભાની 2018ની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ રાજસ્થાનમાં જબરદસ્ત સફળ રહી હતી.

અંદરની વાત મુજબ નવા જિલ્લાની ધોષણાથી સત્તા વિરોધી લહેર ઓછી થશે. ભાજપ આંતરિક કલહને કારણે સત્તા વિરોધી લહેર ઊભી કરવામાં નિષ્ફળ ગયું છે. ગહલોતના 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાતથી સીધી 60 સીટોનો ફાયદો થવાનો છે. પૂર્વી અને મારવાડમાં પણ કોંગ્રેસને ફાયદો થશે. ગહલોતની જાહેરાતથી પ્રદેશમાં જિલ્લાની સંખ્યા વધીને 52 થઈ ગઈ છે.
READ ALSO
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ
- ગૃહમંત્રીના શહેરમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી
- ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.
- પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો
- મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે, ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયા બાદ કરશે સ્થળોનું નિરીક્ષણ