બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસના દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરતાં આ કેસમા નવો વળાંક આવ્યો છે. બિલકિસ બાનોએ પહેલી અરજી 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ અને બીજી અરજી સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અંગે ફેરવિચારણાની છે.

સુપ્રીમ કોર્ટે મે મહિનામાં આદેશ આપ્યો હતો કે, દોષિતોને મુક્ત કરવા અંગેનો નિર્ણય ગુજરાત સરકાર લેશે. બિલકિસે એવો મુદ્દો ઉઠાવ્યો છે કે, મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી ચાલી હતી ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે ? આ કેસમાં દોષિતોની મુક્તિ સામે પહેલાં જ અરજી થઈ ચૂકી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે આ કેસમાં દાખલ તમામ પિટીશન પર ઝડપથી સુનાવણી કરાશે.

કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે, બિલકિસ બાનોએ ઉઠાવેલા બંને મુદ્દામાં દમ છે તેથી સરકાર ભીંસમાં આવશે. બળાત્કાર અને હત્યાના દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય આઘાતજનક છે જ. ગુજરાત સરકારે કાયદા પ્રમાણે નિર્ણય લીધો કે નહીં એ મુદ્દો મહત્વનો નથી પણ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેવી જરૂરી છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ