બિહારમાં પૂરનો પ્રકોપ યથાવત છે. બિહારમાં ભયાનક પૂરને કારણે અત્યાર સુધીમાં કુલ 106 લોકોના મોત નિપજ્યા છે. બિહારના 12 જિલ્લાઓમાં અત્યાર સુધી કુલ 80.85 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બિહારના મુઝફ્ફરપુર, મધુબની, દરભંગા, શિવહર, સીતામઢી, કિશનગંજ અને પૂર્ણિયા સહિતના 12 જિલ્લાઓમાં પૂરે તબાહી મચાવી છે.

પૂરથી પ્રભાવિત આ જિલ્લાઓમાં કુલ 54 રાહત શિબિર ચલાવવામાં આવી રહી છે. જેમાં અત્યારે 30 હજાર જેટલા લોકો આશ્રય લઇ રહ્યા છે. તંત્ર દ્વારા તમામ પૂરપીડિતો માટે રહેવા અને જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજી તરફ પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 26 ટીમ તૈનાત કરવામાં આવી છે. બિહારની મુખ્ય નદીઓ ગંડક, કોસી, બાગમતી અને મહાનંદા વિવિધ સ્થળો પર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
Read Also
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ