કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિત ગુજરાત સરકારના બે મંત્રીઓ ગીર વિસ્તારની મુલાકાતે છે ત્યારે તાલાલાના ધારાસભ્ય ભગા બારડે સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ નહીં મળતા નારાજગી વ્યક્ત કરી હતી. ભગા બારડે કહ્યું હતું કે વર્તમાન સરકાર અને કેન્દ્ર સરકાર ધારાસભ્યોનું માન સન્માન જાળવતી નથી.
Nari Shakti at Gujarat’s Gir.
— Bhupender Yadav (@byadavbjp) May 24, 2022
Had a brief interaction with Eco Tourism Guides today in Gir National Park. Their positivity and will to work for the cause is commendable. pic.twitter.com/24hd0WCNj4
ગીરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રોજેક્ટ લાયન અંગે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી અને એક મહિનામાં પ્રોજેક્ટ લાયન માટે તમામ ગતિવિધિઓ પૂર્ણ કરવા વનતંત્રને આદેશ આપ્યો છે. આ ઉપરાંત વનમંત્રીએ ગીરના માલધારીઓ, હોટલ સંચાલકો, સ્થાનિક ખેડૂતોની સાથે પણ મુલાકાત કરી હતી.
Undertook a safari at the Gir National Park.
— Bhupender Yadav (@byadavbjp) May 24, 2022
If the Asiatic lion is safe anywhere, it's in Gujarat’s Gir and the credit for it goes to PM Shri @narendramodi ji as he personally camped in Gir National Park and worked on assessing and addressing the problems in lion conservation. pic.twitter.com/UrJr9rdyWp
માલધારીઓના પ્રશ્નોને હલ કરવા માટે પણ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત સિંહોને રસીકરણ અંગે પણ ચર્ચા થઇ હતી અને રસીકરણ કરવા બાબતે વનવિભાગનું વલણ હકારાત્મક હોવાની વાત રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી અને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના વનમંત્રીએ કરી હતી. આ ઉપરાંત સાસણ આવતા પ્રવાસીઓને મેંદરડા તરફથી સાસણ આવવા માટે રસ્તાની ખરાબ પરિસ્થિતિ છે. જેમાં યોગ્ય નિર્ણય લેવા માટે પણ આદેશ કરાયો હતો.
Read Also
- ગૂગલે લોન્ચ કર્યું આ નવું ફિચર, હવે લખાયેલા ગીતને ગૂગલ આપશે અવાજ
- દુષ્કર્મના વધુ એક કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર જેલમાં જેલમાં બંધ આસારામને વીડિયો માધ્યમથી હાજર રખાયોઃ શું હતો દુષ્કર્મનો મામલો
- ઓડિશાના મંત્રીની અંગત કારણોસર થઈ હત્યા, પોલીસે જ ગોળી મારીને ઘટનાને આપ્યો અંજામ
- મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી