સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધતી જતી સપાટીને લઇને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુશી વ્યક્ત કરી હતી. નર્મદા ડેમની સપાટી આજે 134.40 મીટર પહોંચી છે. કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદને કારણે હાલ પાણીની આવક 2 લાખ 38 હજાર 59 ક્યુસેક્સ નોંધાઇ છે. તેની સામે હાલ 10 દરવાજા ખોલીને 1 લાખ 58 હજાર 913 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. બીજી તરફ ગોરા બ્રીજ પરથી હજી પાણી ઓસર્યા નથી. નોંધનિય કે રાજ્યના ઈતિહાસમાં આટલી સપાટી પહેલીવાર પહોંચી છે. જેને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આ અંગે પીએમ મોદી પણ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.
READ ALSO

- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો